- વૃંદાવનમાં ઠાકુર બાંકે બિહારી મંદિરમાં 27મી ઓગસ્ટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે
- આ વર્ષે ઇસ્કોન મંદિરમાં 26 ઓગસ્ટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે
- આ વર્ષે ઇસ્કોન મંદિરમાં 26 ઓગસ્ટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે
હિન્દુ ધર્મમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર અનુસાર શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખુબજ ધામધુમથી ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણએ પૃથ્વી પર અવતાર લીધો હતો. આ દિવસે, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવાય છે. ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે મથુરા-વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 2 દિવસ સુધી મનાવવામાં આવશે. આ વખતે મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે…
મથુરામાં જન્માષ્ટમી 2024 ક્યારે ઉજવવામાં આવશે?
શાસ્ત્રો અનુસાર શ્રી કૃષ્ણનો જન્મ 5251 વર્ષ પહેલા થયો હતો. શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રની મધ્યરાત્રિએ મથુરાની જેલ માં તેમનો જન્મ થયો હતો. આ કારણે મથુરામાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 03:39 વાગ્યે શરૂ થાય છે અને 27 ઓગસ્ટના રોજ સવારે 02:19 વાગ્યે સમાપ્ત થાય છે. 26 ઓગસ્ટની મધ્યરાત્રિએ મથુરામાં શ્રી કૃષ્ણની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે રાત્રે 12 વાગ્યે ઉપવાસ કરીને જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.
વૃંદાવન ઠાકુર બાંકે બિહારીની જન્માષ્ટમી 2024 ક્યારે ઉજવવામાં આવશે?
વૃંદાવનમાં ઠાકુર બાંકે બિહારી મંદિરમાં 27મી ઓગસ્ટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે બપોરે 2 કલાકે મંગળા આરતી કરવામાં આવશે. આ સાથે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવશે. આ દિવસે મંગળા આરતી થશે, ભક્તોમાં મંગળા આરતીનો અનોખો ઉત્સાહ રહેલો હોય છે. આ સાથે રાત્રીના 12 વાગ્યાથી બાળ ગોપાલનો અભિષેક થશે. આ સાથે આરતી, ભોગ વગેરેનું આયોજન કરવામાં આવશે.
ઇસ્કોન મંદિરમાં ક્યારે જન્માષ્ટમી?
આ વર્ષે ઇસ્કોન મંદિરમાં 26 ઓગસ્ટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે.
ઠાકુર બાંકે બિહારીમાં જન્માષ્ટમી
બાંકે બિહારીના કપાટ રાત્રે 2 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ખુલશે
જન્માષ્ટમીની મંગળા આરતી - સવારે 3.30 કલાકે
ભોગ- સવારે 5 કલાકે
જન્માષ્ટમીના દિવસે સવારે કપાટ બંધ - સવારે 6 વાગ્યે આરતી પછી કપાટ બંધ કરવામાં આવશે.