આ મંદિર હિંદુ ધર્મના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંનું એક માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. માન્યતા મુજબ અહીં ભગવાન વિષ્ણુએ કઠોર તપસ્યા કરી હતી અને તે દરમિયાન માતા લક્ષ્મીએ તેમને ઠંડીથી બચાવવા માટે બદ્રી વૃક્ષનું રૂપ ધારણ કર્યું હતું, તેથી આ સ્થળનું નામ બદ્રીનાથ પડ્યું. અહીં ભગવાન વિષ્ણુના બદ્રીનારાયણ સ્વરૂપની પૂજા થાય છે. સ્કંદ પૂરાણમાં આ ધામને બદ્રીકાશ્રમ તરીકે ઓળખવામાં આવે છે.
બદ્રીનાથ ધામ ઉત્તરાખંડની ચાર ધામ યાત્રાનો મુખ્ય અને અંતિમ પડાવ માનવામાં આવે છે
આ વર્ષે ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા 19 એપ્રિલથી શરૂ થવાની છે. આ દિવસે ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલશે, ત્યારબાદ 23 એપ્રિલે બદ્રીનાથ ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવશે.
અહીં દર્શન કરવાથી વ્યક્તિને મોક્ષ મળે છે
બદ્રીનાથ ધામ ઉત્તરાખંડની ચાર ધામ યાત્રાનો મુખ્ય અને અંતિમ પડાવ માનવામાં આવે છે. માન્યતા છે કે અહીં દર્શન કરવાથી વ્યક્તિને મોક્ષ મળે છે અને પાપોનો નાશ થાય છે. આ મંદિરનું ધાર્મિક મહત્વ એટલા માટે પણ વધારે છે કારણ કે આદી શંકરાચાર્યએ તેને ફરીથી સ્થાપિત કર્યું હતું, જેના કારણે તે સનાતન પરંપરાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે.
બદ્રીનાથ પંચ બદ્રી મંદિરોમાંનુ એક છે, જેમાં યોગ ધ્યાન બદ્રી, ભવિષ્ય બદ્રી, આદી બદ્રી અને વૃદ્ધ બદ્રીનો સમાવેશ થાય છે.
બદ્રીનાથ મંદિર કેવી રીતે પહોંચવું
બદ્રીનાથ ધામ પહોંચવા માટે નજીકનું એરપોર્ટ Jolly Grant Airport છે, જ્યાંથી રોડ માર્ગ દ્વારા મુસાફરી કરવી પડે છે. રેલ માર્ગ માટે અને Haridwar મુખ્ય સ્ટેશન છે. ઉપરાંત, ઋષિકેશ, હરિદ્વાર અને દેહરાદૂનથી નિયમિત બસ અને ટેક્સી સેવાઓ ઉપલબ્ધ છે.
યાત્રા માટે શ્રેષ્ઠ સમય મે-જૂન અને સપ્ટેમ્બર-ઓક્ટોબર માનવામાં આવે છે, કારણ કે શિયાળામાં ભારે હિમવર્ષા કારણે મંદિર બંધ રહે છે.
આ પણ વાંચો: Jagannath Rath Yatra 2026: ક્યારે નીકળશે નાથ નગરચર્યાએ, જાણીલો જગન્નાથ રથ યાત્રા ક્યારે છે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)