હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે ઉપવાસ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ તિથિ પર ચોખા ન ખાવા જોઈએ. પરંતુ, પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરમાં, એકાદશીના દિવસે ચોખા ખાવાની પરંપરા છે. આ પાછળ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે, ચાલો જાણીએ તેના વિશે.


શું છે દંતકથા

વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે એકાદશી પર ભાત ખાવાથી સારું પરિણામ મળતું નથી. પરંતુ જગન્નાથ મંદિરમાં એકાદશી પર ખાસ ભાત ખાવામાં આવે છે. પૌરાણીક કથા અનુસાર એકવાર બ્રહ્માજીએ જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથનો મહાપ્રસાદ ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેના માટે તેઓ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં મહાપ્રસાદ પૂરો થઈ ગયો હતો.

ભગવાન જગન્નાથ પ્રગટ થયા

પછી તેમની નજર એક શ્વાન પર પડી, જે પાંદડાની થાળીમાં બચેલા ભાત ખાઈ રહ્યો હતો. પછી બ્રહ્માજી પણ તે કૂતરા પાસે બેઠા અને ભાત ખાવા લાગ્યા. સંયોગથી, જે દિવસે આ ઘટના બની તે દિવસે એકાદશી હતી.

જગન્નાથ પુરીમાં એકાદશી કે અન્ય કોઈ તિથિ પર ભગવાન જગન્નાથના મહાપ્રસાદ પર કોઈ ઉપવાસ કે તિથિનો કોઈ પ્રભાવ પડતો નથી.

આ દ્રશ્ય જોઈને ભગવાન જગન્નાથ પ્રગટ થયા અને બ્રહ્માજીને કહ્યું કે આજથી મારા મહાપ્રસાદમાં એકાદશીનો કોઈ નિયમ લાગુ પડશે નહીં. એવું કહેવાય છે કે તે દિવસથી, જગન્નાથ પુરીમાં એકાદશી કે અન્ય કોઈ તિથિ પર ભગવાન જગન્નાથના મહાપ્રસાદ પર કોઈ ઉપવાસ કે તિથિનો કોઈ પ્રભાવ પડતો નથી.

એકાદશી પર ચોખા કેમ ખાવામાં આવતા નથી

પૌરાણિક કથા અનુસાર, મહર્ષિ મેધાએ માતા શક્તિના ક્રોધથી બચવા માટે એકાદશીના દિવસે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. આ પછી તેઓ ચોખા અને જવના રૂપમાં પ્રગટ થયા. તેથી, એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે ચોખા મહર્ષિ મેધાના શરીરના ભાગ ખાવા સમાન છે.

  • Follow us on: