16 જુલાઈ, 2026 પછી શનિ વક્રી થવાના છે. શનિની હિલચાલમાં ફેરફર થવાથી દરેક રાશિના જાતકોમાં ફેરફાર પડે છે. ત્યારે શનિની ઢૈયાનો પ્રભાવ કેટલીક રાશિની મુશ્કેલીઓમાં ફેરફાર કરી શકે છે. કારકિર્દી, નાણાકીય બાબતો અને માનસિક તણાવ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ત્યારે આવો જાણીએ શનિ દેવ ક્યારે વક્રી થશે.
138 દિવસ શનિ રહેશે વક્રી
દ્રિક પંચાંગ અનુસાર ભગવાન શનિ 27 જુલાઈ, 2026 ના રોજ રાત્રે 10.21 વાગ્યે મીન રાશિમાં વક્રી થવાના છે. તેઓ 11 ડિસેમ્બર, 2026 સુધી આ વક્રી સ્થિતિમાં રહેશે. કુલ 138 દિવસ તેઓ વક્રી રહેશે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે પણ કોઈ કઠોર અથવા ઉગ્ર ગ્રહ વક્રી થાય છે, ત્યારે તેનો પ્રભાવ વધુ તીવ્ર બને છે. હાલમાં સિંહ રાશિ અને ધન રાશિ શનિની ઢૈયાના પ્રભાવ હેઠળ છે. શનિની વક્રી થવાથી બંને રાશિમાંં અસર થશે.
સિંહ રાશિ
- સિંહ રાશિના જાતકો હાલમાં 'અષ્ટમ ઢૈયા ' (શનિની ગોચરનો આઠમો તબક્કો) અનુભવી રહ્યા છે. શનિ વક્રી થવાથી તમારા માટે ખાસ કરીને પડકારજનક સાબિત થઈ શકે છે.
- તમારે તમારી નોકરી અને વ્યવસાયમાં ખૂબ જ પ્રયત્નો કરવાની જરૂર પડશે છતાં ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવામાં વિલંબ થઈ શકે છે.
- સાથીદારો અથવા ઉપરી અધિકારીઓ સાથે દલીલો ટાળો.
- આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચ અચાનક વધી શકે છે.
- સંભવિત નાણાકીય નુકસાન ટાળવા માટે રોકાણોમાં ખૂબ સાવધાની રાખો.
- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ખર્ચાળ સાબિત થઈ શકે છે, અને તમે માનસિક તણાવનો અનુભવ કરી શકો છો.
ધન રાશિ
- ઢૈયા રાશિના જાતકો શનિના 'ચતુર્થ ઢૈયા' (શનિની ગોચરનો ચોથો તબક્કો) ના પ્રભાવ હેઠળ છે.
- વક્રી શનિ તમારા પરિવાર અને ઘરેલું જીવનને અસર કરી શકે છે.
- પરિવારમાં ગેરસમજ અથવા મતભેદો વધી શકે છે.
- શાંતિ અને ધીરજથી પરિસ્થિતિઓને સંભાળો. જમીન, મિલકત અથવા વાહનો ખરીદવા સંબંધિત બાબતોમાં અવરોધો આવી શકે છે.
- જો કોઈ કાનૂની કે કોર્ટ કેસ ચાલી રહ્યો હોય, તો તમારે દોડાદોડ અથવા ગૂંચવણોનો સામનો કરવો પડી શકે છે.
- કાર્યસ્થળ પર કામનો ભાર વધશે.
- આ સમયગાળા દરમિયાન તમે નોકરી બદલવાનું વિચારી શકો છો, પરંતુ ઉતાવળમાં કોઈ મોટા નિર્ણયો લેવાનું ટાળો.
આ ઉપાયો અપાવશે રાહત
શનિની વક્રી ગતિ અમુક રાશિઓ (જેમ કે કુંભ) ને થોડી રાહત આપી શકે છે જે હાલમાં સાડા સાતી તબક્કામાં ઝઝૂમી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન, પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ પરિણામો આપી શકે છે.
(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )
આ પણ વાંચો: Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ