દ્વિક પંચાગ અનુસાર વર્ષ 2025માં શનિદેવ 13 જુલાઇએ સવારે 9.36 કલાકે વક્રી થશે અને લગભગ 138 દિવસો સુધી આ અવસ્થામાં જ રહેશે. જે બાદ તેઓ 28 નવેમ્બર 2025ના રોજ સવારે 9.20 કલાકે ફરીથી તેઓ સીધી ચાલમાં આવશે. ખાસ વાત એ છે કે શનિના વક્રી થવાના એક દિવસ પહેલા જ ભગવાન શિવનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. આવા શુભ સમયે શનિ ઉલ્ટી ચાલ ચાલશે. ત્યારે ભગવાન શિવની કૃપાથી કઇ રાશિ પર તેની સકારાત્મક અસર પડશે.


વૃષભ રાશિ

  • શનિનું વક્રી થવાથી તમારા પ્રયાસો તેજ બનશે અને સફળતા મળવાની સંભાવના વધશે
  • કાર્યક્ષેત્રમાં પદોન્નતિ થશે
  • તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
  • અટકાયેલા નાણા પાછા મળશે
  • પિતૃપક્ષનો સહયોગ અને આશીર્વાદ મળવાના સંકેત છે
  • ધાર્મિક યાત્રાઓ કરવાનો યોગ, ખાસ કરીને શિવમંદિરોમાં દર્શન
  • મનને શાંતિ મળશે

કર્ક રાશિ

  • આઠમા ભાવે શનિ વક્રી થશે.
  • જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત મળશે
  • માનસિક રીતે તમે મજબૂત બનશો
  • આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે
  • વિદ્યાર્થીઓ માટે ખાસ રહેશે આ સમય
  • પાર્ટનરશિપમાં કામ કરનારાનો અચાનક લાભ થશે
  • આર્થિક સ્થિતિ સુધરશે

ધન રાશિ

  • ધન અને કુટુંબ ભાવને પ્રભાવિત કરી રહ્યા છે.
  • આવકના નવા સ્ત્રોત ઉભા થશે
  • રોકાણથી લાભ થવાની સંભાવના
  • પારિવારિક વાતાવરણ સુખદ રહે
  • ઘરમાં વિવાહના શુભ સમાચાર મળી શકે
  • કાયદાકીય લડતમાં સમાધાન મળી રહે
  • સામાજિક કે ધાર્મિક આયોજન થવાની સંભાવના

(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથું કે તે સાચું અને સાબિત થયું છે. )

  • Follow us on: