જમવાનું બનાવવાથી લઇને પીરસતી વખતે કેટલાક ખાસ નિયમોનું પાલવ કરવાથી વાસ્તુદોષ લાગતો નથી. તમે વડીલોને કહેતા સાંભળ્યા હશે કે, "તમારે એક થાળીમાં ત્રણ રોટલી ન મૂકવી જોઈએ; જો તમે મુકો છો, તો ત્રીજી તોડી નાખો." શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભોજન પીરસતી વખતે આ પ્રકારની કાળજી કેમ રાખવામાં આવે છે ? હકીકતમાં, હિન્દુ પરંપરામાં, ભોજન પીરસવાની રીત તેના સ્વાદ અને શુદ્ધતા જેટલી જ મહત્વપૂર્ણ છે. એક લોકપ્રિય માન્યતા છે કે એક થાળીમાં ત્રણ રોટલી એકસાથે ન રાખવી જોઈએ, કારણ કે તે અશુભ માનવામાં આવે છે.
ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણ
આ પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણ છે. હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં, એવું માનવામાં આવે છે કે એક થાળીમાં ત્રણ રોટલી પીરસવી એ મૃતકને ભોજન પીરસવા સમાન છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે ત્રયોદશી વિધિ પહેલાં તેમના નામે ત્રણ રોટલીવાળી થાળી મૂકવામાં આવે છે. આપણે ત્યાં બારમુ અને તેરમુ કરવાની પરંપરા છે. આનો અર્થ એ છે કે આ થાળી મૃતકને સમર્પિત છે અને સામાન્ય રીતે ફક્ત પીરસનાર દ્વારા જ જોવામાં આવે છે. આ જ કારણ છે કે જીવંત વ્યક્તિને એકસાથે ત્રણ રોટલી પીરસવાનું ટાળવાની પરંપરા છે.













