- 17 ઓગસ્ટથી શ્રાવણ માસનો પ્રારંભ
- શ્રાવણ માસ 15 સપ્ટેમ્બર સુધી રહેશે
- શ્રાવણ માસમાં આ વખતે ચાર સોમવાર
દેવાધિદેવ મહાદેવની આરાધનાનો મહિનો શ્રાવણ શરૂ થઇ રહ્યો છે. શ્રાવણને લઇને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. આ વખતે અધિક મહિનો હતો જે પૂર્ણ થતાની સાથે જ શિવજીની આરાધનાનો અવસર શરૂ થયો છે. 17 ઓગસ્ટથી શ્રાવણ માસનો પ્રારંભ, શ્રાવણ માસ 15 સપ્ટેમ્બર સુધી રહેશે. શ્રાવણ માસમાં આ વખતે ચાર સોમવાર રહેશે, 21 ઓગસ્ટે પ્રથમ સોમવાર, 28 ઓગસ્ટના બીજો સોમવાર, 04 સપ્ટેમ્બરે ત્રીજો સોમવાર, 11 સપ્ટેમ્બરે ચોથો સોમવાર રહેશે.
શ્રાવણમાં રુદ્રાભિષેક ભગવાન શિવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. કહેવાય છે કે રૂદ્રાભિષેક કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવલિંગ પર મંત્રોના જાપ સાથે વિશેષ વસ્તુઓ અર્પિત કરવાને રૂદ્રાભિષેક કહેવાય છે. રૂદ્રાભિષેક કરવાથી જીવનની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તેની સાથે જ વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે.













