• તાંબાના વાસણથી શિવલિંગનો અભિષેક ન કરો
  • શિવલિંગ પર કાચું દૂધ ચઢાવવાથી ભોલેનાથ થાય છે પ્રસન્ન
  • પૂજામાં હળદર, તુલસીના પાન, સિંદૂર વગેરે ન ચઢાવો

હિંદુ ધર્મમાં શ્રાવણનો મહિનો ખાસ માનવામાં આવે છે, આ મહિનામાં શિવભક્તો ભોલેનાથની પૂજા અર્ચનામાં લીન થઈ જાય છે. આ મહિનામાં સોમવારની પૂજાનું પણ ખાસ મહત્ત્વ માનવામાં આવે છે. શ્રાવણ માસનો દરેક દિવસ શિવની કૃપા વરસાવનાર માનવામાં આવે છે, પરંતુ તેમાં આવતા સોમવારે શિવની પૂજા કરવાથી અનેક ગણું વધુ ફળ મળે છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજામાં કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જેથી તમારી પૂજા સફળ થાય. તો જાણો ખાસ વાતો.


  1. સામાન્ય રીતે તાંબાના વાસણનો ઉપયોગ પૂજામાં જળ ચઢાવવા કરવામાં આવે છે. પરંતુ શિવભક્તોએ આ ભૂલ ન કરવી. તાંબાના વાસણની મદદથી ક્યારેય પણ ભગવાન શિવલિંગ પર દૂધ ન ચઢાવવું જોઈએ. દૂધ આપવા માટે પિત્તળના વાસણનો ઉપયોગ કરો.
  2. ભગવાન શિવની પૂજામાં ચઢાવવામાં આવતું બિલિપત્ર સોમવારે તોડી શકાતું નથી. આ કિસ્સામાં, તેને એક દિવસ પહેલા તોડીને રાખવું જોઈએ. શિવલિંગ પર બિલિ ચઢાવતા પહેલા ચેક કરી લેવું કે તે ખંડિત થયેલું તો નથી ને. તેને ધોયા પછી હંમેશા તેની દાંડીનો ભાગ તોડીને તેને એવી રીતે અર્પણ કરો કે તેનું સ્મૂધ લેયર ઉપર રહે.
  3. શ્રાવણના સોમવારે ભગવાન શિવ માટે દુગ્ધાભિષેક વિશેષ માનવામાં આવે છે. આ દિવસે શિવલિંગ પર કાચું દૂધ ચઢાવવાથી માત્ર ભગવાન ભોલેનાથ જ નહીં પરંતુ ચંદ્ર ભગવાનની પણ કૃપા થાય છે.
  4. શ્રાવણના સોમવારના વ્રત દરમિયાન ફળાહાર સમયે સામાન્ય મીઠાનો ઉપયોગ ન કરો, તેના બદલે સિંધવ મીઠાનું સેવન લાભદાયી રહેશે.
  5. શ્રાવણના પવિત્ર મહિનામાં સોમવાર વ્રતની પૂજા કરતી વખતે હળદર, તુલસીના પાન, સિંદૂર વગેરે ન ચઢાવો અને શિવપૂજા વખતે શંખનું પાણી ન ચઢાવો, કારણ કે શિવ પૂજામાં શંખનો ઉપયોગ પ્રતિબંધિત છે.
  6. શ્રાવણના સોમવારે પૂજા કરતી વખતે ભૂલથી પણ શિવલિંગ કે મહાદેવની મૂર્તિની સંપૂર્ણ પ્રદક્ષિણા ન કરવી. હિંદુ માન્યતા અનુસાર ભગવાન શિવની પરિક્રમા અડધી જ કરાય છે.
  7. જે વ્યક્તિ શ્રાવણ માસમાં સોમવારે ઉપવાસ કરે છે તેણે ભૂલથી પણ તામસિક વસ્તુઓ જેવી કે લસણ, ડુંગળી વગેરેનું સેવન ન કરવું જોઈએ.

  • Follow us on: