- તાંબાના વાસણથી શિવલિંગનો અભિષેક ન કરો
- શિવલિંગ પર કાચું દૂધ ચઢાવવાથી ભોલેનાથ થાય છે પ્રસન્ન
- પૂજામાં હળદર, તુલસીના પાન, સિંદૂર વગેરે ન ચઢાવો
હિંદુ ધર્મમાં શ્રાવણનો મહિનો ખાસ માનવામાં આવે છે, આ મહિનામાં શિવભક્તો ભોલેનાથની પૂજા અર્ચનામાં લીન થઈ જાય છે. આ મહિનામાં સોમવારની પૂજાનું પણ ખાસ મહત્ત્વ માનવામાં આવે છે. શ્રાવણ માસનો દરેક દિવસ શિવની કૃપા વરસાવનાર માનવામાં આવે છે, પરંતુ તેમાં આવતા સોમવારે શિવની પૂજા કરવાથી અનેક ગણું વધુ ફળ મળે છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજામાં કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જેથી તમારી પૂજા સફળ થાય. તો જાણો ખાસ વાતો.














