- દુર્ગા નવમી અથવા મહાનવમી પણ કહેવામાં આવે છે
- આ દિવસે દેવી દુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રી દેવીની પૂજા કરવામાં આવે છે
- ગોરણીઓની પૂજા કરવાની પણ પરંપરા છે
નવરાત્રિનો અંતિમ દિવસ એટલે કે નવમી તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને દુર્ગા નવમી અથવા મહાનવમી પણ કહેવામાં આવે છે. આ દિવસે દેવી દુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રી દેવીની પૂજા કરવામાં આવે છે. ગોરણીઓની પૂજા કરવાની પણ પરંપરા છે. શાસ્ત્રો અનુસાર, માતા સિદ્ધિદાત્રીની આઠ સિદ્ધિઓ છે - અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ. શારદીય નવરાત્રીની મહાનવમી 23મી ઓક્ટોબર એટલે કે આજે છે.
તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય
જ્યોતિષ શાસ્ત્ર માને છે કે નવરાત્રિના નવમા દિવસે જે પણ મા સિદ્ધિદાત્રીની પૂજા સંપૂર્ણ ભક્તિ અને અનુષ્ઠાન સાથે કરે છે તેને તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સાથે જ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને મહાનવમીના દિવસે કરવામાં આવે તો માતા રાણી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે.
મહાનવમીના દિવસે દક્ષિણ-પૂર્વ ખૂણામાં મા દુર્ગાની જ્યોત પ્રગટાવો
જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો તો મહાનવમીના દિવસે દક્ષિણ-પૂર્વ ખૂણામાં મા દુર્ગાની જ્યોત પ્રગટાવો. આ ઉપાય માત્ર રોગોથી જ નહીં પરંતુ દુશ્મનોથી પણ રાહત આપે છે. તેમજ મહાનવમીના દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. નવમીના દિવસે નવ કન્યાઓની પૂજા કરો અને તેમને ઘરે બોલાવીને ભોજન કરાવો. તેમને સોળ સણગાર ભેટ આપો. આમ કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને ઘર સુખ-સમૃદ્ધિથી ભરાઈ જાય છે. જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો નવમીના દિવસે દુર્ગાજીની મૂર્તિને ગંગા જળમાં સ્નાન કરાવો. આ પછી પૂરી ભક્તિ સાથે દુર્ગા સ્તોત્રનો પાઠ કરો. આમ કરવાથી માતા દુર્ગા ધન અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
મા દુર્ગાને ગાય અને શંખ અર્પણ કરો
મહાનવમીના દિવસે મા દુર્ગાને ગાય અને શંખ અર્પણ કરો. આ ઉપાયથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે. માતા દુર્ગાની કૃપાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. નવરાત્રિની મહાનવમીના દિવસે દેવી દુર્ગાને શણગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને અખંડ સૌભાગ્યનું વરદાન આપે છે. મહાનવમીના દિવસે માતા રાનીની મૂર્તિની સામે 9 દીવા પ્રગટાવો. હવે દીવાઓની સામે લાલ ચોખાનો ઢગલો કરો અને તેના પર શ્રીયંત્ર મૂકો. પૂજા કર્યા પછી તેને ઘરના મંદિરમાં સ્થાપિત કરો. આમ કરવાથી તમને અણધાર્યો નાણાકીય લાભ મળશે.