• આ દિવસે ભગવાન વિષ્ણુ તેમની યોગ નિદ્રામાંથી જાગે છે અને ચાતુર્માસ સમાપ્ત થાય છે
  • આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વ્રત રાખવામાં આવે છે
  • આ મહિનામાં ભગવાન વિષ્ણુની સાથે તુલસીના છોડની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે

દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ દેવઉઠી એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ તેમની યોગ નિદ્રામાંથી જાગે છે અને ચાતુર્માસ સમાપ્ત થાય છે અને શુભ કાર્યોની શરૂઆત થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વ્રત રાખવામાં આવે છે અને વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે. કારતક માસમાં પડવાના કારણે આ દિવસનું મહત્વ વધી જાય છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની સાથે તુલસીના છોડની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કારતક મહિનામાં તુલસીના છોડને જળ અર્પણ કરવાથી અને સાંજે ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિ દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. તેની સાથે દેવઉઠી એકાદશીના દિવસે તુલસીના છોડની વિશેષ પૂજા કરવાથી અને માતાજીને ચુંદડી અને શેરડીનો પ્રસાદ ચઢાવવાથી વ્યક્તિને દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે.

દેવઊઠી એકાદશી ક્યારે છે?

ગુરુવારે દેવઊઠી એકાદશી વેળાએ તુલસીવિવાહ સાથે લગ્નસરાની નવી સિઝન શરૂ થશે. હિંદુ કેલેન્ડર મુજબ, કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી 22 નવેમ્બર 2023 ના રોજ રાત્રે 11:03 વાગ્યે શરૂ થઈ રહી છે, જે 23 નવેમ્બરે રાત્રે 9:01 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. ઉદયા તિથિ અનુસાર, દેવઊઠી એકાદશી 23 નવેમ્બર 2023 ના રોજ ઉજવવામાં આવશે.

દેવઊઠી એકાદશી પર તુલસીને આ રંગના વસ્ત્રો અર્પણ કરો.

હિંદુ ધર્મમાં તમામ દેવી-દેવતાઓની પૂજા કરવાની સાથે અન્ન અને વસ્ત્રો વગેરે અર્પણ કરવાની પરંપરા છે. તેવી જ રીતે તુલસીને પણ દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી, તેમને ચુંદડી અર્પણ કરવામાં આવે છે. પીળા વસ્ત્ર અર્પણ કરો. લાલ રંગ ઉપરાંત પીળા રંગની ચુંદડી અથવા કપડાં પણ તુલસીજીને અર્પણ કરી શકાય છે. ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. આ સાથે આ રંગ ગુરુનું પ્રતિનિધિત્વ કરે છે. આવી સ્થિતિમાં પીળા રંગના વસ્ત્રો ચઢાવવાથી માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડને પીળા કપડા અર્પણ કર્યા પછી મનોકામના પૂર્ણ થાય છે.

આ મંત્રથી તુલસીજીને વસ્ત્રો અર્પણ કરો

‘સર્વ સૌભાગ્યની મહાપ્રસાદ માતા, આધી વ્યાધિ હર નિત્યમ, તુલસી ત્વમ નમોસ્તુતે.


  • Follow us on: