• શ્રાવણ પહેલા મંદિરની કરો સફાઈ
  • શ્રાવણમાં લસણ અને ડુંગળીનું સેવન ટાળો
  • તૂટેલા-ફૂટેલા સામાન, જૂના કપડાં અને બેકારની ચીજોને હટાવો

પવિત્ર એવા શ્રાવણ મહિનાની શરૂઆતની તૈયારીઓ છે ત્યારે ચારેકોર હરિયાળી જોવા મળે છે. આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ સમયે ભક્તો શિવજીની સાથે માતા પાર્વતીની પણ પૂજા અર્ચના કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારે શ્રાવણની શરૂઆત પહેલા ઘરમાં 4 ફેરફાર કરી લેવા જરૂરી છે. ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો 15 દિવસ વહેલા શરૂ થાય છે. ઉ.ભારતમાં તે 22 જુલાઈથી શરૂ થશે. તો જાણો શું કરવું.

શ્રાવણ શરૂ થતા પહેલા ઘરને કરો સાફ

શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવની પૂજા અને આધ્યાત્મિક કાર્યોને માટે વિશેષ સમય હોય છે. આ મહિને ઘરમાં સફાઈનું ધ્યાન રાખવાનું જરૂરી છે. તેનાથી તમને જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. શ્રાવણ શરૂ થતા પહેલાથી ઘરની નકારાત્મક ચીજોને હટાવો. તૂટેલા-ફૂટેલા સામાન, જૂના કપડાં અને બેકારની ચીજોને ઘરમાંથી કાઢી દેવી જોઈએ.

શ્રાવણ પહેલા મંદિરની કરો સફાઈ

શ્રાવણનો મહિનો ભગવાન શિવને પ્રિય હોય છે. આ મહિનામાં શિવજીની પૂજા-અર્ચના કરવાનું વિશેષ મહત્ત્વ છે. ઘરના મંદિરમાં ભગવાન શિવની પૂજા કરતા પહેલા મંદિરની સાફ સફાઈ કરાવવી જરૂરી છે. નહીં તો તમે શિવકૃપાથી વંચિત રહી શકો છો.

આ પ્રકારની મૂર્તિઓ હટાવવી જરૂરી

શ્રાવણ શરૂ થતા પહેલા ઘરમાં રાખેલી કોઈ પણ ભગવાનની ખંડિત મૂર્તિને હટાવી લો. આવી મૂર્તિઓ પૂજાઘરમાં રાખવાનું અશુભ મનાય છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. સાથે ઘરમાં શુભતા અને સકારાત્મક પ્રવેશ પણ થઈ શકતો નથી. તો આ કામ અચૂક કરો.

શ્રાવણમાં લસણ અને ડુંગળીનું સેવન ટાળો

શ્રાવણ શરૂ થાય તો રસોઈમાંથી ડુંગળી અને લસણને હટાવી દો. હિંદુ માન્યતાઓ અનુસાર લસણ અને ડુંગળીને તામસિક માનવામાં આવે છે. શ્રાવણ મહિનો પવિત્ર છે તો આ સમયે તામસિક ચીજોનું સેવન ટાળવું નહીં તો શિવજીના પ્રકોપનો સામનો કરવો પડે છે.  

  • Follow us on: