• સુખી વૈવાહિક જીવન માટે પતિ પત્નીએ આ દિવસે નદીમાં સ્નાન કરવું
  • તુલસીના પાનને પાણીમાં નાંખી ઘરમાં છંટકાવ કરવો
  • તુલસી માતાને લાલ વસ્ત્ર અને 16 શણગાર અર્પણ કરવા

કારતક મહિનો ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ 4 મહિના બાદ યોગ નિંદ્રામાંથી જાગે છે. આ સમયે કારતક મહિનામાં તુલસી વિવાહ ખાસ ગણાય છે. આ મહિનામાં આવતી શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવઉઠી અગિયારસ કહેવાય છે. આ દિવસે તુલસી વિવાહ ઉજવાય છે. આ વર્ષે આ તહેવાર 24 નવેમ્બરે ઉજવાશે. તો જાણો વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર કરવા શું કરવું જેનાથી લાભ થશે.

સુખી વૈવાહિક જીવન માટે કરો આ કામ

  • જો તમારા જીવનમાં અનેક સમસ્યાઓ ચાલી રહી છે તો તુલસી વિવાહના દિવસે ખાસ ઉપાય કરો. આ માટે પતિ-પત્નીએ પવિત્ર નદીમાં સ્નાન કરવું. જો શક્ય ન હોય તો ઘરમાં પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરી લેવું. તેનાથી એકમેકની વચ્ચેની મતભેદ ખતમ થશે.
  • તુલસીના પાનને ચોખ્ખા પાણીમાં મિક્સ કરો અને પછી ઘરમાં તેનો છંટકાવ કરો. માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને દામ્પત્ય જીવનમાં પ્રેમ વધે છે.
  • તુલસીના પાનને ક્યારેય અગિયારસ કે બારસે તોડવા નહીં. તુલસીના ઉપાય કરવાથી હંમેશા તેના 2-3 દિવસ પહેલા પાન તોડી લો અને સાથે તમે તૂટેલા પાનનો ઉપયોગ કરો. તેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી વૈવાહિક જીવન સુખમય બને છે.
  • તુલસી વિવાહના દિવસે માતા તુલસીને લાલ વસ્ત્ર અને 16 શણગાર અર્પિત કરવાથી વિશેષ લાભ મળે છે. આ દિવસે પતિ -પત્નીને એકસાથે તુલસી વિવાહમાં ભાગ લેવો. તેનાથી વૈવાહિક જીવનમાં આવી રહેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે.
  • તુલસી વિવાહના દિવસે માતા તુલસી અને ભગવાન શાલિગ્રામનો વિવાહ કરવાથી વૈવાહિક જીવનમાં મિઠાશ વધે છે. તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને પતિ પત્નીના સંબંધો મજબૂત બને છે.
  • જો તમે તુલસી વિવાહના દિવસે તુલસીજી અને ભગવાન શાલિગ્રામના વિવાહ ન કરાવો તો જ્યાં આ વિવાહ થઈ રહ્યા છે ત્યાં જાઓ કે મંદિરમાં જઈને તુલસી માતાને લાલ ચુંદડી અને 16 શણગાર અર્પણ કરો. તેનાથી વૈવાહિક જીવનમાં ચાલી રહેલી ખટપટ દૂર થાય છે.  

  • Follow us on: