- દેવી-દેવતાઓની મૂર્તિઓને ખોટી દિશામાં અથવા ખોટી રીતે ન મૂકવી
- માતા લક્ષ્મીની મૂર્તિ યોગ્ય રીતે રાખવામાં ન આવે તો થશે નુકસાન
- યોગ્ય રીતે રાખવાથી આર્થિક નુકસાન થવાની સંભાવના વધી જાય છે
વાસ્તુશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જેમાં ઘરની સકારાત્મક ઉર્જા વધારવા અને નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. ઘણી વખત આપણે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખોટી દિશામાં અથવા ખોટી રીતે રાખીએ છીએ, જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં પણ દેવી લક્ષ્મીનો વાસ હોય છે, તે ઘરમાં ક્યારેય સુખ-સમૃદ્ધિની કમી નથી આવતી.
ઘરમાં દેવી લક્ષ્મીની કેટલી મૂર્તિઓ રાખી શકાય?
ઘરમાં ક્યારેય લક્ષ્મીની એકથી વધુ મૂર્તિ ન રાખવી જોઈએ. એકથી વધુ મૂર્તિ રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે.
મા લક્ષ્મીની મૂર્તિ હંમેશા ભગવાન ગણેશની સાથે રાખવી જોઈએ?
સામાન્ય રીતે મોટાભાગના ઘરોમાં ભગવાન ગણેશની સાથે લક્ષ્મીની મૂર્તિ રાખવામાં આવે છે, પરંતુ એવું જરૂરી નથી કે તમે માત્ર ભગવાન ગણેશની સાથે જ લક્ષ્મીની મૂર્તિ જ રાખી શકો. ભગવાન વિષ્ણુ અને કુબેરજીની સાથે દેવી માતાની મૂર્તિ પણ રાખવામાં આવે છે. ભગવાન ગણેશની સાથે દેવી લક્ષ્મીની મૂર્તિ જમણી બાજુ રાખવામાં આવે છે. જ્યારે ભગવાન વિષ્ણુની સાથે દેવી માતાની મૂર્તિ ડાબી બાજુ રાખવામાં આવી છે.
દેવી લક્ષ્મીની મૂર્તિ ક્યાં રાખવી જોઈએ?
ઘરના મંદિરમાં દેવી લક્ષ્મીની મૂર્તિ હંમેશા રાખવી જોઈએ. ધ્યાન રાખો કે તમે દેવી માતાની મૂર્તિને જમીન પર ન રાખો. જો ઘરમાં મંદિર ન હોય તો ટેબલ અથવા બાજોઠ સ્થાપિત કરો અને માતાની મૂર્તિ રાખો.
દેવી લક્ષ્મીની મૂર્તિ કઈ દિશામાં રાખવી જોઈએ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં દેવી લક્ષ્મીની મૂર્તિ રાખવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. આ સાથે જ માતાની મૂર્તિ ઉત્તર-પશ્ચિમ દિશામાં પણ રાખી શકાય છે.
ઘરમાં દેવી લક્ષ્મીની કઈ પ્રકારની મૂર્તિ ન રાખવી જોઈએ?
હંમેશા દેવી માતાની એવી મૂર્તિ લાવો, જેમાં માતા કમળના આસન પર બિરાજમાન હોય. લક્ષ્મી માતાની મૂર્તિને ઉભી અવસ્થામાં ન રાખવી જોઈએ, આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે મૂર્તિને ક્યાંયથી પણ ખંડિત ન કરવી જોઈએ.
(Disclaimer- અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી આધારિત છે, સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)