બીએસએનએલે પોતાના કરોડો યુઝર્સને ફરી એકવાર ખુશીના મૂડમાં લાવી દીધા હતા. સરકાર હસ્તની આ કંપનીએ યુઝર્સ માટે ઘણા સસ્તા પ્લાન કર્યા છે. જેમાં અનલિમિટેડ કોલિંગની સાથે ઘણા ફાયદા પણ મળે છે. ભારત સંચાર નિગમ લિમિટેડે ગત કેટલાક મહિનાઓમાં પોતાના નેટવર્કને મોટાપાયે અપગ્રેડ કર્યું છે. સરકારી ટેલિકોમ કંપનીએ અત્યાર સુધી 25 હજાર કરતાં વધુ 4G ટાવર લગાવી દીધા છે. હજી આગામી કેટલાક મહિનાઓમાં એખ લાખ નવા ટાવર લગાડવાનો ટાર્ગેટ રાખ્યો છે. જેના લીધે યુઝર્સને જલ્દી સારી કનેટ્કિવિટી મળશે.
બજારની અન્ય ખાનગી કંપનીઓએ જુલાઈમાં પોતાના મોબાઈલ ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. જે બાદ ઘણા યુઝર્સે સરકારી કંપનીમાં પોતાનો નંબર પોર્ટ કરાવી લીધો છે. બીએસએનએલે યુઝર્સ માટે એક એવા પ્લાનની જાહેરાત કરી છે, જેમાં સંપૂર્ણ 160 દિવસની વેલિડિટી મળે છે અને યુઝર્સને વધુ પૈસા પણ ખર્ચવા નથી પડતા.













