ભારત સરકાર 1 ફેબ્રુઆરી 2025ના રોજ દેશનું બજેટ રજૂ કરશે, જેમાં દેશની ઈકોનોમીને વેગ આપવા માટે ઘણા પગલાં લેવાની આશા છે. બજેટમાં મધ્યમ વર્ગને રાહત આપવા માટે ટેક્સમાં છૂટ, ઉદ્યોગને બાહ્ય દબાણથી બચાવવા માટે ટેરિફમાં ફેરફાર અને રોજગાર વધારવાના રસ્તાઓ સહિત અનેક પગલાં પર વિચાર કરવામાં આવી રહ્યો છે.


દેશા વિકાસ માટે સતત કરવામાં આવી રહ્યું છે કામ

સરકાર આ બજેટને ઈકોનોમી અને વ્યવસાયમાં સુધારા અને લોકોની જીવનશૈલીમાં સુધારો લાવવાના સંકેત તરીકે રજૂ કરવાની યોજના ધરાવે છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં તાજેતરની ચૂંટણીઓમાં મળેલા વિજયથી ઉત્સાહિત મોદી સરકાર એક મજબૂત સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહી છે કે તે વિકાસ માટે સતત કામ કરી રહી છે.

મધ્યમ વર્ગને મળી શકે છે રાહત

બજેટમાં મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત આપવાના પગલાંની ચર્ચા થઈ રહી છે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ વ્યક્તિઓને છૂટ આપી શકાય છે અને કોર્પોરેટ ટેક્સને પણ સરળ બનાવવાનું વિચારવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS)ને સરળ બનાવવાની પણ યોજના છે. અત્યાર સુધી 15 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક પર 30 ટકા ટેક્સ વસૂલવામાં આવતો હતો. આમાં ડિસ્કાઉન્ટ આપવાથી શહેરી વિસ્તારોમાં માગ વધવાની અપેક્ષા છે. લોકોને રાહત આપવા માટે સરકાર ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી શકે છે, જેથી વધુ લોકોને ફાયદો થઈ શકે.

રોજગાર સર્જન અને રોકાણને વધુ વેગ આપવો

બજેટમાં રોજગારી સર્જન પર પણ ભાર મૂકવામાં આવશે. ખાસ કરીને જુલાઈના બજેટમાં જાહેર કરાયેલી ત્રણ રોજગાર-સંકળાયેલ પ્રોત્સાહન યોજનાઓના આધારે સરકાર કેટલાક મોટા પગલા લઈ શકે છે. આ ઉપરાંત, સરકારના મૂડી ખર્ચ (કેપેક્સ) પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે, જેથી ખાનગી રોકાણને પ્રોત્સાહન મળે અને ઉદ્યોગને આગળ વધવા માટે પ્રોત્સાહન મળે.

વિદેશી રોકાણમાં વધારો

ચીનથી સસ્તી આયાતના ભયને ધ્યાનમાં રાખીને સરકાર ટેરિફમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે, જેથી દેશના ઉદ્યોગને વિદેશી પ્રભાવથી સુરક્ષિત રાખી શકાય. આ સાથે વિદેશી રોકાણ આકર્ષવા માટે ઘણી પદ્ધતિઓ પર પણ ચર્ચા કરવામાં આવી રહી છે, જેનો બજેટમાં સમાવેશ કરી શકાય છે.

GDPમાં કેટલો વધારો થશે?

નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે. આ પાછલા નાણાકીય વર્ષ 2023-24ના 8.2 ટકાના વિકાસ દર કરતા ઘણો ઓછો છે. આવી સ્થિતિમાં સરકારનું ધ્યાન અર્થતંત્રની ગતિ વધારવા માગ વધારવા અને રોકાણ આકર્ષવા પર રહેશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ બજેટ માત્ર દેશની અર્થવ્યવસ્થાને વેગ આપશે નહીં, પરંતુ સામાન્ય માણસ અને ઉદ્યોગને પણ રાહત આપશે.

  • Follow us on: