જો તમે પણ સોના-ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. હાલના સમયમાં આ ટ્રેડીંગ દિવસોમાં ભાવમા ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે આજના ટ્રેડીંગ દિવસમાં સોનાના ભાવમાં ઘટાડો થયો (Today Gold rate) અને ચાંદી ના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે.
આ ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે એટલે કે, ગુરુવારે સોનું 3,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 98,390 રૂપિયા નોધ્યું હતું. જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે બુધવારે સોનાનો ભાવ 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 1,01,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.
જાણો, તમારા શહેરમાં આજનો સોનાનો ભાવ
| શહેરનું નામ | 22 કેરેટ સોનાનો દર (₹) | 24 કેરેટ સોનાનો દર (₹) |
| અમદાવાદ | 90,100 | 98,290 |
| મુંબઈ | 98,340 | 1,00,900 |
| ચેન્નાઈ | 98,340 | 1,10,900 |
| કલકત્તા | 98,340 | 1,10,900 |
| દિલ્હી | 98,490 | 1,00,900 |
સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને ડોલરના ભાવમાં વધારો-ઘટાડો. સોનું ફક્ત રોકાણનું સાધન નથી. પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધી જાય છે.
ભારતમાં સોનાના ભાવ કેવી રીતે અને શા માટે બદલાતા રહે છે?
સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી અને વેચાણ પણ થાય છે. આજકાલ દરેક દેશની સેન્ટ્રલ બેંક પાસે સંપૂર્ણ સ્ટોરેજ નથી. જ્યારે પણ આવું થાય છે, ત્યારે સોનાના ભાવમાં ઝડપી અસ્થિરતા આવે છે. ટૂંકમાં, આ માંગ દેશની મધ્યસ્થ બેંકો તરફથી આવે છે. જ્યારે માંગ અપેક્ષા કરતાં વધી જાય છે, ત્યારે કેન્દ્રીય બેંકો દ્વારા સોનાના ભાવમાં વધારો કરવામાં આવે છે. આવું ઘણી વખત જોવા મળ્યું છે અને આ કિંમતો ઘણી હદ સુધી વધે છે.