• વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 20,300 કરોડ રૂપિયા પાછા ખેંચ્યા
  • ભારત પર ઈઝરાયેલ-હમાસનું યુદ્ધ અને કતારમાં બનેલી ઘટનાની અસર દેખાઈ
  •  FPIs ભારત જેવા ઊભરતાં બજારોથી તેમનું ધ્યાન હટાવી રહ્યા છે

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. કતારમાં ભારતીયોને મોતની સજા આપવામાં આવી છે. અમેરિકન અર્થતંત્રમાં સતત વધઘટ ચાલુ છે. આ તમામ ઘટનાઓની અસર ભારત પર પણ જોવા મળી રહી છે. આ ઘટનાઓને કારણે રોકાણકારોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને વિદેશી રોકાણકારોમાં આ ફેરફાર અસર કરી શકે છે. હકીકતમાં આ ઘટનાઓને કારણે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 20,300 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આ ઘટનાઓને કારણે ઓક્ટોબરમાં ભારતીય બજારમાં વેચાણનું વર્ચસ્વ છે.

ક્રેવિંગ આલ્ફાના સ્મોલ કેસ મેનેજર મયંક મહેરાના જણાવ્યા અનુસાર, આગળ જતા FPI રોકાણનો પ્રવાહ ફેડરલ રિઝર્વની બેઠકના પરિણામો અને વૈશ્વિક આર્થિક વિકાસ પર નિર્ભર રહેશે. તે જ સમયે, ટૂંકા ગાળામાં ગેલબોલ લેબલ પર અનિશ્ચિતતા અને અમેરિકામાં વ્યાજ દરોમાં વધારાને કારણે FPIs સાવચેતીભર્યો અભિગમ અપનાવશે. જો કે, ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ સ્ટોક અને બોન્ડમાં વિદેશી રોકાણકારો માટે આકર્ષક રહેશે.

સપ્ટેમ્બરમાં પણ વેચાણ થયું 

આ મહિને 27 ઓક્ટોબર સુધી FPIsએ રૂ. 20,356 કરોડના શેર વેચ્યા છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ વિદેશી રોકાણકારોમાં વેચવાલી જોવા મળી હતી. સપ્ટેમ્બરમાં ભારતીય શેરબજારમાંથી રૂ. 14,767 કરોડના શેર વેચ્યા હતા. માર્ચથી ઓગસ્ટ સુધીના છેલ્લા છ મહિના દરમિયાન વિદેશી રોકાણકારો સતત ભારતીય બજારમાં નાણાં ઠાલવતા હતા. આ સમયગાળા દરમિયાન ભારતીય શેરબજારોમાં 1.74 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

ઈઝરાયેલ-હમાસ સંઘર્ષની અસર દેખાઈ 

એસોસિયેટ ડિરેક્ટર અને મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં થયેલો જંગી વધારો આ સપ્તાહે FPI પાછી ખેંચવાનું મુખ્ય કારણ છે. આ સાથે જ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને ત્યારબાદ કતારમાં બનેલી ઘટનાની પણ અસર જોવા મળી હતી. સોમવારે 16 વર્ષમાં પ્રથમ વખત 10-વર્ષના બોન્ડ્સ પરની ઉપજ પાંચ ટકાના મનોવૈજ્ઞાનિક સ્તરને વટાવી ગઈ છે.

શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ કારણે FPIs ભારત જેવા ઊભરતાં બજારોથી તેમનું ધ્યાન હટાવી રહ્યા છે અને સલામત વિકલ્પો અમેરિકન સિક્યોરિટીઝમાં રોકાણ કરી રહ્યાં છે. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે ઇઝરાયલ-હમાસ સંઘર્ષે પણ બજારમાં નકારાત્મક લાગણી પેદા કરી છે. આ સાથે આ વર્ષે અત્યાર સુધીમાં શેર્સમાં FPIનું કુલ રોકાણ રૂ. 1 લાખ કરોડ રહ્યું છે. બોન્ડ માર્કેટમાં તેમનું રોકાણ રૂ. 35,200 કરોડને વટાવી ગયું છે. નિષ્ણાતોના મતે વિદેશી રોકાણકારો મુખ્યત્વે ફાઇનાન્શિયલ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરો વેચી રહ્યા છે.

  • Follow us on: