- ટોલ ટેક્સ પર આ અધિકારીઓને મળે છે છૂટ
- ક્યાં અધિકારીઓને ટોલ ટેક્સ ભરવો પડે છે
- અધિકારીઓ કેટલી વાર ટોલ ટેક્સ છૂટનો લાભ મેળવી શકે છે
તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે પણ તમે ટોલ ટેક્સમાંથી પસાર થાવો છે, ત્યારે કેટલાક લોકો તેમના કાર્ડ બતાવીને ટોલ ટેક્સ ભરવાનું ટાળે છે. પરંતુ ટોલ માફી દરેક માટે નથી. માત્ર અમુક પસંદગીના લોકોને જ ટોલ ટેક્સ છૂટ મેળવવાની તક મળે છે. એટલે કે માત્ર કેટલાક અધિકારીઓ ટોલ ટેક્સ પર કાર્ડ બતાવીને ટોલ ટેક્સ ભર્યા વગર આગળ વધી શકે છે. પરંતુ આમાં કોનો સમાવેશ થાય છે અને કોને ટોલ ટેક્સ ભરવો પડતો નથી? આ સિવાય તેઓ કેટલી વાર ટોલ ટેક્સ છૂટનો લાભ મેળવી શકે છે તે જાણો.
ટોલ ટેક્સ પર છૂટ
ટોલ ટેક્સમાંથી છૂટ મેળવનારા લોકોને લઈને તમારા મગજમાં ઘણા સવાલો આવી રહ્યા હશે. જે લોકોનો ટોલ માફ કરવામાં આવ્યો છે, જો તેઓ તેમની પર્સનલ કારમાં મુસાફરી કરે છે, તો પણ તેમને ટોલ ટેક્સમાં છૂટ મળે છે? અથવા તેઓ કેટલી વાર મફતમાં ટોલ ટેક્સ પ્લાઝા પાર કરી શકે છે. અહીં આ તમામ સવાલોના જવાબો જાણો કે કયા લોકોને ટોલ ટેક્સમાં છૂટ મળે છે.
આ અધિકારીઓને ટોલ ટેક્સ ચૂકવવો પડતો નથી
રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિ જેવા લોકો સિવાય, ઘણા લોકો છે જેમને છૂટ મળે છે, આમાં યુનિફોર્મર્ડ અધિકારીઓનો સમાવેશ થાય છે જેમાં પોલીસકર્મીઓ, સેનાના લોકો અથવા પેરામિલેટ્રીના લોકોનો સમાવેશ થાય છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ જો કેન્દ્ર કે રાજ્યના યુનિફોર્મર્ડ લોકો હોય, પછી ભલે તેઓ કોઈ સરકારી કામ માટે જઈ રહ્યા હોય અથવા સેનાનો જવાન રજા પરથી આવી રહ્યો હોય અથવા સેનામાં જોડાવા માટે પાછો જઈ રહ્યો હોય, તો આવી પરિસ્થિતિમાં તેમને ટોલ ચૂકવવો પડશે. એટલે કે, જેઓ ફરજ પર છે, તેમનો ટોલ માફ કરવામાં આવ્યો છે. યુનિફોર્મર્ડ લોકો 24 કલાક સેવા પર હોય છે, તેથી તેઓ ગમે તેટલી વખત કોઈપણ કાર દ્વારા ટોલ પ્લાઝા પર જઈ શકે છે, દરેક વખતે તેમનો ટોલ માફ કરવામાં આવે છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.