સામાન્ય રીતે કાર ઉત્પાદકો નવા વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં વાહનોની કિંમતોમાં વધારો કરતા હોય છે, પરંતુ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ એક મોટો અને ગ્રાહકલક્ષી નિર્ણય જાહેર કર્યો છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે જાન્યુઆરી 2026થી તેઓ પોતાના વાહનોની કિંમતો વધારવાની કોઈ યોજના ધરાવતા નથી.
સ્થિરતા પાછળનું કારણ
મહિન્દ્રાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને વાહન તેમજ કૃષિ ડિવિઝનના CEO રાજેશ જેજુરિકરે જણાવ્યું હતું કે જ્યાં સુધી સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક જેવા કાચા માલની ઉત્પાદન ખર્ચમાં કોઈ મોટી અને અચાનક વૃદ્ધિ ન થાય ત્યાં સુધી કંપની હાલની કિંમતો જાળવી રાખશે.













