ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મામલે 5 વખત બેઠક યોજાઇ ચુકી છે. પરંતુ હજુ સુધી કોઇ નિષ્કર્ષ સામે આવ્યો નથી. 1 ઓગષ્ટ પહેલા આ ડીલ નહી થાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે. ઓગષ્ટ મહિનામાં છઠ્ઠા રાઉન્ડની બેઠક યોજાશે. અમેરિકાના પ્રતિનિધિઓ ભારત આવશે. દ્વિપક્ષીય વેપાર કરાર નીતિ માટે આગામી સમયમાં મહત્ત્વની બેઠક યોજાશે. અમેરિકાના પ્રતિનિધિઓ ઓગષ્ટ મહિનાના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં ભારત આવશે.


ટ્રેડ ડીલ મુદ્દે કોઇ સ્પષ્ટતા નહીં

ભારત અને અમેરિકા વચ્ચે પાંચ વખત વાતચીત થઇ ચુકી છે. જેમાં ટ્રેડ ડીલ મુદ્દે કોઇ સ્પષ્ટતા થઇ ન હતી. ભારત અને અમેરિકાના પ્રતિનિધિઓએ વોશિંગટનમાં પાંચમી બેઠક યોજી હતી. ભારત તરફથી વાણિજ્ય વિભાગના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલ અને દક્ષિણ તથા મધ્ય એશિયા માટે અમેરિકા વેપારી પ્રતિનિધિ બ્રેંડન લિંચે ચર્ચાઓ કરી હતી. આ બેઠક દરમિયાન કૃષિ અને ઓટોમોબાઇલના ક્ષેત્ર સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાતચીત થઇ હતી.

ખેડૂત સંગઠનની માગ

ભારત સરકાર 26 ટકા ટેરિફને હટવવા માટે માગ કરી રહ્યુ છે. આ ઉપરાંત સ્ટીલ અને એલ્યૂમીનિયમ પર 50 ટકા અને ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફને ઓછો કરવા બાબતે પ્રયત્ન કરવામાં આવ્યા હતા. કેટલાક ખેડૂત સંગઠને સરકારને રજૂઆત કરી છે કે, વેપાર કરારમાં ખેત પેદાશો અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા પ્રોડક્ટને સામેલ ન કરવામાં આવે. તો સાથે જ શ્રમ આધારિત ક્ષેત્રો જેવા કે કપડા, આભૂષણ, ચામડા, પ્લાસ્ટિક રાસાયણ વગેરે પર પણ ટેરિફમાં છૂટની માગ કરી છે.

  • Follow us on: