ભારત-પાકિસ્તાન તણાવ સમયે સૌથી પહેલા તુર્કી પાકિસ્તાનના સમર્થનમાં આવ્યું હતું. ત્યારથી જ ભારતમાં બૉયકોટ તુર્કીનો ટ્રેન્ડ શરૂ થયો છે. પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાનનો સાથ આપનાર તુર્કીના લોકો ભારતના ચોખા અને મરી મસાલાનો ઉપયોગ કરે છે. બંને દેશો વચ્ચે આ વેપાર ઘણા વર્ષોથી ચાલ્યો આવે છે. આ વ્યવસાય 10 અબજ ડોલરથી વધુનો થઈ ગયો છે. પરંતુ હવે પાકિસ્તાનને ટેકો આપવો તુર્કીને ભારે પડી શકે છે.


$6.65 બિલિયનની નિકાસ

2023-24માં ભારતે તુર્કીને 6.65 અબજ ડોલરના માલની નિકાસ કરી હતી. ઘણી વસ્તુઓ ભારતથી તુર્કી જાય છે. આ યાદીમાં ચોખા, મસાલા, કાપડ, ચા અને કોફીનો સમાવેશ થાય છે. ત્યારે આવો જાણીએ તુર્કી ભારત પર કેટલુ નિર્ભર છે.

બાસમતી ચોખાનો મોટો જથ્થો ભારતમાંથી તુર્કી જાય છે. તુર્કીના લોકો બાસમતી ચોખાનો ઉપયોગ બિરયાની બનાવવા કરે છે. તુર્કીમાં ભારતીય ખોરાક ખાવાના ખૂબ શોખીન છે. ભારત વિશ્વમાં બાસમતી ચોખાનો સૌથી મોટો નિકાસકાર છે અને તુર્કી પણ તેનો મોટો ખરીદદાર છે.

ભારત વિના તુર્કીમાં બિરયાની નહીં બને

  • ભારતીય મસાલા તેમની તાજગી અને સુગંધ માટે વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય છે.ભારત તુર્કીને હળદર, જીરું, ધાણા અને લાલ મરચું પણ મોકલે છે.
  • ભારતથી તુર્કી કપાસ, રેશમ અને તૈયાર વસ્ત્રોની નિકાસ પણ થાય છે. જેના કારણે ત્યાં સાડી, કુર્તા, બેડશીટ, પડદા ખૂબ જ લોકપ્રિય છે.
  • જો તુર્કી સાથેના સંબંધો બગડે છે, તો તેની અસર કાપડ, ચોખા અને મસાલાઓની નિકાસ પર પડી શકે છે.
  • દાર્જિલિંગની ચા અને કોફી ભારતથી તુર્કી મોકલવામાં આવે છે.
  • તુર્કીમાં ચા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ભારતની દાર્જિલિંગ ચા અને કોફી ત્યાંના દરેક ઘરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

250% ફ્લાઇટ રદ થવામાં નો વધારો થયો

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, તુર્કીને પાકિસ્તાનને ટેકો આપવા બદલ ભારે કિંમત ચૂકવવી પડી છે. આ સમયે ફ્લાઇટ રદ થવાની સંખ્યા 250 ટકા સુધી વધી ગઈ છે. ઘણી ટ્રાવેલ કંપનીઓ પણ લોકોને આ સમયે આ દેશોમાં બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી રહી છે. એટલું જ નહીં, કંપનીઓએ તુર્કી માટે ચાલી રહેલા પ્રમોશન અને ઑફર્સ પણ બંધ કરી દીધા છે.

  • Follow us on: