કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા સતત નવમા બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટમાં સામાન્ય જનતા માટે સૌથી રાહતજનક સમાચાર એ છે કે ચામડાના જૂતા અને કાપડની નિકાસ સસ્તી કરવામાં આવી છે. ઉપરાંત માઇક્રોવેવ ઓવન, સૌર ઊર્જા સંબંધિત ઉત્પાદનો અને કેન્સરની કેટલીક મહત્વપૂર્ણ દવાઓના ભાવમાં પણ ઘટાડો થયો છે.
2026-27 માટે રજૂ
નાણાકીય વર્ષ 2026-27 માટે રજૂ થયેલ આ બજેટ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને સિદ્ધ કરવા દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ બજેટ એવા સમયે આવ્યું છે જ્યારે ભારત ઊંચા યુએસ ટેરિફ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે.













