અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ. હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલા નિર્ણયો તથા નીતિઓની અસર વિશ્વના તમામ બજારો પર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, યુએસ ફેડરલ રિઝર્વ તેના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરે તે વિશ્વ માટે મોટા પરિવર્તનનો સંકેત છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ પછી, ભારતીય રિઝર્વ બેંક 7 ફેબ્રુઆરીએ તેની દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત પણ કરશે. ત્યારે શું આરબીઆઇ ઇએમઆઇમાં ઘટાડો થાય તેવા નિર્ણયો લેશે કે કેમ ?


વ્યાજદરો રાખ્યા સ્થિર 

મહત્વનું છે કે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ઘટાડો કરવાના સિલસિલા પર રોક લગાવે તેવો અનુમાન લગાવવામાં આવ્યું હતું. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી આ સંભાવના વાસ્તવિકતામાં ફેરવાઇ હતી. આ પહેલા ફેડરલ રિઝર્વએ નવેમ્બર અને ડિસેમ્બરની બેઠકમા 2 વાર વ્યાજદરોમાં ઘટાડો કર્યો હતો અને વ્યાજદરોને 1 ટકા કરતા પણ ઘટાડીદીધા. હાલમાં, ફેડરલ રિઝર્વનો વ્યાજ દર 4.25 થી 4.50 ટકાની વચ્ચે રહેશે.

RBI ની નાણાકીય નીતિ

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી અને ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કર્યા પછી, ભારતમાં બે મોટી નાણાકીય ઘટનાઓ બનવા જઈ રહી છે. સૌ પ્રથમ, 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ, સરકાર નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કરશે. ત્યારબાદ, ભારતીય રિઝર્વ બેંકની કેલેન્ડર વર્ષ 2025 ની પહેલી નાણાકીય નીતિ અને નાણાકીય વર્ષ 2024-25 ની છેલ્લી નાણાકીય નીતિ 7 ફેબ્રુઆરીએ આવવાની છે. આવી સ્થિતિમાં, અમેરિકામાં થયેલા ફેરફારોની અસર આ બંને ઘટનાઓ પર જોઈ શકાય છે.

તાજેતરમાં RBI ને તેના નવા વડા મળ્યા છે. આવી સ્થિતિમાં, ગવર્નર સંજય મલ્હોત્રા પર પણ ફેડરલ રિઝર્વની નીતિની અસરનો સામનો કરવાનું દબાણ રહેશે. ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સ્થાનિક સ્તરે ફુગાવાને નિયંત્રિત કરવાનું કામ કરે છે, પરંતુ તે વિદેશી પ્રભાવનો સામનો કરવાનું પણ કામ કરે છે.

મહત્વનુ છે કે વર્ષ 2022 માં, એપ્રિલમાં તેની નાણાકીય નીતિની સમીક્ષા કરવા છતાં, ભારતીય રિઝર્વ બેંકે મે મહિનામાં અચાનક બેઠક યોજી અને વ્યાજ દરમાં 0.40 ટકાનો વધારો કર્યો. ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ફુગાવો વધવાનો ભય હતો, જેના કારણે દેશમાં વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે અમેરિકાના ફેડરલ રિઝર્વની બેઠક પણ તે જ સમયે યોજાવાની હતી અને એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે અમેરિકામાં વ્યાજ દરમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવશે. આનાથી ભારતીય શેરબજારમાં પાયમાલી થશે તેવી આશંકા હતી, તેથી તે સમયે પોલિસી રેટમાં વધારો કરવામાં આવ્યો હતો.

શું તમારો EMI ઘટશે?

હવે પ્રશ્ન એ છે કે શું RBI 7 ફેબ્રુઆરીએ વ્યાજ દરોમાં ઘટાડો કરશે, જેથી તમારા EMIનો બોજ ઓછો થઈ શકે. ડિસેમ્બરની નાણાકીય નીતિ પછી તરત જ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે વ્યાજ દરમાં ઘટાડો કરવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું હતું જેથી દેશમાં વૃદ્ધિ દર વધારી શકાય. પરંતુ ખાદ્ય ફુગાવો ઊંચો રહેવાને કારણે, તે સમયે કોઈ કાપ મૂકવામાં આવ્યો ન હતો. આ દરમિયાન અમેરિકાએ વ્યાજ દરોમાં ઘટાડો કર્યાને લાંબો સમય થયો ન હતો.

જો કે અમેરિકાએ આના પર બ્રેક લગાવી દીધી હોવાથી, RBI આગામી નાણાકીય નીતિ સમીક્ષા દરમિયાન વ્યાજ દરમાં 0.25 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. જોકે આ નિર્ણય રૂપિયાના મૂલ્યમાં ઘટાડો, ડોનાલ્ડ ટ્રમ્પની નવી વેપાર નીતિ અને ખાદ્ય ફુગાવો હજુ પણ ઊંચો રહેવા જેવા પરિબળો પર આધારિત રહેશે.


  • Follow us on: