ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ODI શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયા પ્રથમ બોલિંગ કરી રહી છે. આ મેચ માટે અફઘાનિસ્તાને તેની પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર કર્યા છે. ટીમ ઈન્ડિયાએ પણ તેની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કર્યા છે.
ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ 11માં ત્રણ ફેરફાર કર્યા
ભારતીય ટીમ મેનેજમેન્ટે આ મેચમાં હર્ષ દુબે, પ્રસિદ્ધ કૃષ્ણા અને નીતિશ રેડ્ડી ને તક આપી છે. કેએલ રાહુલ, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ આ મેચમાં રમી રહ્યા નથી. લાંબા સમય પછી ટીમ ઈન્ડિયામાં પાછા ફરેલા હર્ષિત રાણાને પણ આ મેચમાં રમવાની તક મળી નથી. ટોસ દરમિયાન, કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે પિચ ખૂબ સારી દેખાય છે. જો અમે ટોસ જીત્યા હોત, તો અમે પહેલા બેટિંગ કરી હોત. છેલ્લી મેચ ખૂબ જ ગરમ હતી, અને આજે હવામાન પણ એવું જ રહેવાની અપેક્ષા છે. અમારું ધ્યાન અમે જે ક્ષેત્રો પર કામ કરી રહ્યા છીએ તેમાં સતત સારું પ્રદર્શન કરવા પર છે. રન ચેઝિંગ એક એવો વિભાગ છે જ્યાં અમે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું નથી.













