શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમના શેડ્યૂલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય ટેસ્ટ ટીમ અને સ્થાનિક શ્રીલંકન XI વચ્ચેની વોર્મ-અપ મેચમાં એક દિવસનો ઘટાડો કરવામાં આવ્યો છે. મૂળ 4 દિવસ માટે નિર્ધારિત મેચ હવે 3 દિવસની કરવામાં આવી છે. 

આ વોર્મ-અપ મેચ 7 થી 9 ઓગસ્ટ દરમિયાન કોલંબોના NCC ગ્રાઉન્ડ ખાતે રમાશે, જે SSC સ્ટેડિયમ નજીક સ્થિત છે, જે બીજી ટેસ્ટનું સ્થળ છે. ભારતીય ટીમ આ પ્રવાસ માટે 4 ઓગસ્ટે કોલંબો જવા રવાના થશે.

ટીમ ઈન્ડિયાને આપવામાં આવી જાણકારી

ટીમ પસંદગી દરમિયાન BCCIએ ચાર દિવસની વોર્મ-અપ મેચની જાહેરાત કરી હતી, પરંતુ હવે ટીમને આ ફેરફારની જાણ કરવામાં આવી છે. મેચ ટૂંકી કરવાનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ BCCI અને ટીમ મેનેજમેન્ટના સૂત્રોએ આ ફેરફારની પુષ્ટિ કરી છે. 

ભારતે જૂન મહિનાથી એક પણ ટેસ્ટ મેચ રમી નથી, તેથી શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ માટે આ મેચ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન ચક્રના ભાગ રૂપે રમાઈ રહેલી આ સિરીઝની તૈયારીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફેન્સ માટે સારા સમાચાર એ છે કે આ વોર્મ-અપ મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ

3 દિવસની વોર્મ-અપ મેચ: 7 થી 9 ઓગસ્ટ (એનસીસી ગ્રાઉન્ડ, કોલંબો)

પહેલી ટેસ્ટ: 15 ઓગસ્ટથી શરૂ (ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમ)

બીજી ટેસ્ટ: 23 ઓગસ્ટથી શરૂ (SSC સ્ટેડિયમ, કોલંબો)

બુમરાહ અને સાઈ સુદર્શનની ફિટનેસ અંગે અપડેટ

પ્રવાસ પહેલા ભારતીય ટીમને 2 ખેલાડીઓની ફિટનેસ અંગે પણ એક મોટી અપડેટ મળી છે. મીડિયા રિપોર્ટ મુજબ યુવા લેફ્ટ બેટ્સમેન સાઈ સુદર્શન પગના અંગૂઠાની ઈજાને કારણે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબ કરી રહ્યો હતો. તે હવે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને તેને બેટિંગ પ્રેક્ટિસ ફરી શરૂ કરી દીધી છે. 

એવી અપેક્ષા છે કે ટીમના રવાના થાય તે પહેલાં તે સંપૂર્ણપણે ફિટ થઈ જશે. આ દરમિયાન જસપ્રીત બુમરાહને પણ ઘૂંટણની સમસ્યાને કારણે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. તે ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં ફિટનેસ પાછી મેળવવાના માર્ગ પર પણ છે.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિષભ પંત (વિકેટકીપર), સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બ્રાર, દેવદત્ત પડિકલ, સારાંશ જૈન.

આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?