IPL 2026નો લીગ તબક્કો હવે તેના અંતને આરે છે. ચાલુ ટુર્નામેન્ટની છેલ્લી બે લીગ મેચ 24 મેના રોજ રમાશે, જેમાં 1 મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે.
અંતિમ લીગ મેચ પહેલા રાજસ્થાન રોયલ્સે તેની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. RRનો રવિ સિંહ ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે, અને તેના સ્થાને ઈમાનજોત ચહલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
રવિ સિંહ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે બહાર થયો
રવિ સિંહ આ સિઝનમાં હેમસ્ટ્રિંગની ઈજાને કારણે બહાર થઈ ગયો છે. તેના સ્થાને યુવા ઓલરાઉન્ડર ઈમાનજોત ચહલની જાહેરાત કરવામાં આવી છે. ઈમાનજોતે સ્થાનિક ક્રિકેટમાં પંજાબનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેને 3 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે, જેમાં 3 ઈનિંગમાં 105 રન બનાવ્યા છે, જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 83 છે. લેફ્ટ સ્પિનરે તે 3 મેચમાં 11 વિકેટ પણ લીધી છે. તે 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ટીમમાં જોડાયો છે.
RRને અંતિમ લીગ મેચમાં જીતની જરૂર
રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો તેઓ પ્લેઓફની દોડમાં યથાવત છે. તેઓએ અત્યાર સુધી 13 મેચોમાંથી 7 જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે છે. જો રાજસ્થાન મુંબઈ ઈન્ડિયન્સ સામેની તેમની આગામી મેચ જીતી જાય છે, તો તેઓ પ્લેઓફ માટે સરળતાથી ક્વોલિફાય થઈ જશે. અહીંથી આરઆરને પ્લેઓફમાં પહોંચવા માટે ફક્ત તેમના અંતિમ લીગ મેચમાં જીતની જરૂર છે.
પ્રથમ ક્વોલિફાયર RCB અને GT વચ્ચે રમાશે
ચાલુ IPL સીઝનમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત ટાઈટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી ગયા છે. પંજાબ, રાજસ્થાન અને દિલ્હી વચ્ચે અંતિમ સ્થાન માટેની સ્પર્ધા ચાલુ છે. RCB અને SRH એ તેમની અંતિમ લીગ મેચ રમી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે RCB પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેશે, અને પ્રથમ ક્વોલિફાયર બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?