ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની એલિમિનેટર મેચ 27 મેના રોજ ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. વિજેતા ટીમ ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે, જ્યારે હારનારી ટીમ બહાર થઈ જશે.

પરિણામે મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ ભારે દબાણ હેઠળ રહેશે. ફેન્સમાં સૌથી વધુ ચર્ચા થનાર ખેલાડી 15 વર્ષનો લેફ્ટ ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી છે, જેને આ આઈપીએલ સીઝનમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેથી સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અત્યાર સુધીનો તેનો આઈપીએલ રેકોર્ડ શું છે.

SRH સામે વૈભવે ફટકારી સદી

સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ તેની ઘાતક બેટિંગ માટે જાણીતી છે, પરંતુ તેમની પાસે એક મજબૂત બોલિંગ આક્રમણ પણ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે વૈભવ સૂર્યવંશીનો IPL રેકોર્ડ દર્શાવે છે કે તેને અત્યાર સુધી ફક્ત 2 મેચ રમી છે, જેમાં કુલ 103 રન બનાવ્યા છે. તેની એવરેજ 51.50 છે.

વૈભવ સૂર્યવંશીએ આ IPL સીઝનમાં હૈદરાબાદ સામે બંને મેચ રમી છે. એકમાં તે ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો હતો, પરંતુ બીજીમાં તેને પોતાની બેટિંગ કુશળતા દર્શાવી, માત્ર 37 બોલમાં 103 રનની શાનદાર સદી ફટકારી. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે વૈભવ સૂર્યવંશીનો સ્ટ્રાઈક રેટ 271.05 છે. તેને SRH સામે 5 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા છે.

મુલ્લાનપુરના સ્ટેડિયમમાં ફક્ત એક જ મેચ રમાઈ છે

રાજસ્થાન રોયલ્સ ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે એલિમિનેટર રમશે, જ્યાં વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધી ફક્ત 1 જ મેચ રમી છે, અને તે આ સીઝનના લીગ તબક્કા દરમિયાન પંજાબ કિંગ્સ સામે હતી.

તે મેચમાં વૈભવ સૂર્યવંશીની 16 બોલમાં 43 રનની શાનદાર ઈનિંગ જોવા મળી હતી, જેમાં તેને 3 ચોગ્ગા અને 5 છગ્ગા પણ ફટકાર્યા હતા. પરંતુ એલિમિનેટર મેચમાં વૈભવ માટે વસ્તુઓ સરળ નહીં હોય, કારણ કે સનરાઈઝર્સ હૈદરાબાદ તેની સામે સંપૂર્ણપણે તૈયાર મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?