ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચોની T20 શ્રેણીનો પ્રથમ મુકાબલો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહ્યો છે. આ શ્રેણી માત્ર રમત પૂરતી સીમિત નથી, પરંતુ બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધોનો એક નવો અધ્યાય છે, જેમાં અફઘાનિસ્તાન પોતે યજમાનની ભૂમિકા ભજવી રહ્યું છે. મેચ પહેલાં સ્ટેડિયમના ગેટ નંબર ત્રણ પર કાબુલના ઐતિહાસિક 'તાક-એ-ઝફર' ગેટની પ્રતિકૃતિ સામે ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયર અને અફઘાન કેપ્ટન ઈબ્રાહિમ ઝાદરાને 'ફ્રેન્ડશિપ કપ' ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. કાબુલમાં શહીદોની યાદમાં બનેલા આ ગેટની પ્રતિકૃતિ દર્શાવે છે કે અફઘાન ટીમ માટે ભારત 'ઘરથી દૂર પણ પોતાનું ઘર' સમાન છે.

પ્લેઇંગ-11નું ગણિત અને રાશિદ ખાનના સ્પિન આક્રમણની અગ્નિપરીક્ષા

દોસ્તીના માહોલ વચ્ચે મેદાન પર જીત માટે બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. ભારતીય ટીમમાં ટોપ ઓર્ડરમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી અને અનુભવી સંજુ સેમસનમાંથી કોને તક આપવી તે મોટો પ્રશ્ન છે, જ્યારે પીઠના ખેંચાણ બાદ ઈશાન કિશન રમવા માટે સંપૂર્ણ ફિટ છે. ભારતીય બેટ્સમેનો સામે અફઘાનિસ્તાનના વિશ્વસ્તરીય સ્પિન આક્રમણ જેવા કે રાશિદ ખાન, નૂર અહમદ અને મુજીબ ઉર રહેમાનનો સામનો કરવો એક મોટો પડકાર રહેશે. ભારત માટે આ શ્રેણી આગામી એશિયન ગેમ્સની તૈયારીઓ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

https://x.com/ACBofficials/status/2099005103717982229?s=20

ગૌતમ ગંભીરના મેનેજમેન્ટ અને નેતૃત્વ પર કેપ્ટન શ્રેયસનો ભરોસો

મુકાબલાની પૂર્વ સંધ્યાએ ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે મુખ્ય કોચ ગૌતમ ગંભીરના વખાણ કરતા તેમને શાનદાર 'મેન મેનેજર' ગણાવ્યા હતા. શ્રેયસે જણાવ્યું હતું કે ગંભીર દરેક ખેલાડીમાં ઘણો વિશ્વાસ અને આત્મવિશ્વાસ પેદા કરે છે તથા દરેકને પોતાની ભૂમિકા સ્પષ્ટપણે સમજાવે છે. અગાઉ KKR માં સાથે કામ કરી ચૂકેલા શ્રેયસે ઉમેર્યું હતું કે કોચનો દૃષ્ટિકોણ સ્પષ્ટ હોવાથી ખેલાડીઓ વધુ સ્વતંત્રતા અને મજબૂતી સાથે મેદાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકશે.

આ પણ વાંચો : US Open 2026: Zverevએ ફાઇનલમાં મારી એન્ટ્રી, હવે Ben Shelton સામે ખિતાબી જંગ