ભારતના પૂર્વ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતે ભારતીય ક્રિકેટના 15 વર્ષના યુવા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીના જોરદાર વખાણ કર્યા છે.શ્રીકાંતનું માનવું છે કે જો વૈભવ સૂર્યવંશી સૌથી લાંબા ફોર્મેટમાં પોતાની ક્ષમતા મુજબ રમશે,તો તે ટેસ્ટ ક્રિકેટમાં એક નવું જીવ આપી શકે છે.આ સાથે જ તેમણે ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોને અપીલ કરી છે કે તેઓ આ નાની ઉંમરના ખેલાડીના પ્રદર્શનનું બહુ ઊંડું વિશ્લેષણ ન કરે અને તેના પર દબાણ ન બનાવે.આઈપીએલમાં શાનદાર પ્રદર્શનના જોરે વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ભારતીય T20 ટીમમાં સ્થાન મળ્યું છે.આ યુવા ખેલાડીની આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના સાત મેચના પ્રવાસ માટે પસંદગી કરવામાં આવી છે,જેની શરૂઆત 26 જૂનથી બેલફાસ્ટમાં થવાની છે.
વૈભવ સૂર્યવંશી ક્રિકેટના ભગવાનનો દીકરો છે: શ્રીકાંત
મીડિયા એજન્સી સાથે વાત કરતા શ્રીકાંતે કહ્યું,વૈભવમાં રન બનાવવાની અને મેદાન પર દબદબો રાખવાની અદભુત ઈચ્છાશક્તિ છે.જો તે T20 થી આગળ વધીને વન-ડે અને ટેસ્ટ ક્રિકેટ સુધી પહોંચશે અને ત્યાં સફળ થશે.તો ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ આખો બદલાઈ જશે.ઇન્ડિયા-એના શ્રીલંકા પ્રવાસ પર વૈભવના સામાન્ય પ્રદર્શન બાદ શ્રીકાંતે તેને સલાહ આપતા કહ્યું કે લોકો શું કહે છે તેની ચિંતા કર્યા વગર તારી નેચરલ ગેમ પર ધ્યાન આપવું જોઈએ.તેનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે













