BCCIએ ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. શુભમન ગિલને ફરી એકવાર ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીની વાપસીની પણ આશા છે. જોકે, તેમની પસંદગી ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર રહેશે. ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝ ચૂકી ગયેલા વિરાટ કોહલીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તે હજુ પણ મેડિકલ ટીમ તરફથી અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. તેથી, ક્રિકેટ ચાહકો હવે તેમના ફિટનેસ રિપોર્ટ પર નજર રાખશે.
જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી
ટીમ પસંદગીની સૌથી મોટી ખાસ વાત એ છે કે જસપ્રીત બુમરાહ ODI પાછો ફર્યો છે. બુમરાહ છેલ્લે 2023 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ટીમ માટે 50 ઓવરની ક્રિકેટ રમ્યો હતો. અક્ષર પટેલ પણ ODI ટીમમાં પાછો ફર્યો છે. અક્ષર પટેલ અફઘાનિસ્તાન સામેની ODI સીરિઝમાં ટીમનો ભાગ નહોતો. યશસ્વી જયસ્વાલ, પ્રિન્સ યાદવ અને હર્ષ દુબે પણ ટીમનો ભાગ નથી.
વિરાટ કોહલીને ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે.
વિરાટ કોહલીને અફઘાનિસ્તાન સામેની ODI સીરિઝ પહેલા હેમસ્ટ્રિંગ ઈજાને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. IPL 2026 ની ફાઇનલમાં તેને હેમસ્ટ્રિંગ ઈજા થઈ હતી. જોકે, ઇંગ્લેન્ડમાં કોહલીની ભાગીદારી સંપૂર્ણપણે તેના ફિટનેસ ટેસ્ટના પરિણામો પર નિર્ભર રહેશે. કોહલીનો ફિટનેસ ટેસ્ટ 22 જૂને બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે યોજાશે.
યશસ્વીને બહાર રાખવામાં આવ્યો
અફઘાનિસ્તાન સામે રમાયેલી ODI ટીમની તુલનામાં, યશસ્વી જયસ્વાલનો ઇંગ્લેન્ડ જતી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ચેન્નાઈમાં ત્રીજી અને અંતિમ ODIમાં જયસ્વાલે 110 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જયસ્વાલની જગ્યાએ વિરાટ કોહલી ટીમના ટોપ ઓર્ડરમાં પાછો ફર્યો છે.
અક્ષર પટેલની ટીમમાં એન્ટ્રી
અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને નીતિશ કુમાર રેડ્ડીને ઓલરાઉન્ડર વિભાગમાં પસંદ કરવામાં આવ્યા છે. બોલિંગ આક્રમણની જવાબદારી જસપ્રીત બુમરાહ પર રહેશે. બુમરાહ લાંબા સમય પછી ODIમાં રમતા જોવા મળશે. તે છેલ્લે 2023ના વર્લ્ડ કપ ફાઇનલમાં રમ્યો હતો. અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને ગુરનુર બ્રાર ફાસ્ટ બોલિંગ વિભાગને મજબૂત બનાવશે. કુલદીપ યાદવ સ્પિન આક્રમણનું નેતૃત્વ કરશે.
વનડે સીરિઝ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતીશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા,અર્શદીપ સિંહ,ગુરનુર બ્રાર
IND vs ENG ODI સીરિઝનું શેડ્યૂલ
14 જુલાઈ: પહેલી ODI, એજબેસ્ટન (બપોરે 3.30 વાગ્યે)
16 જુલાઈ: બીજી ODI, સોફી ગાર્ડન્સ (બપોરે 5.30૦ વાગ્યે)
19 જુલાઈ: ત્રીજી ODI, લોર્ડ્સ (બપોરે 3.30 વાગ્યે)
આ પણ વાંચો - IND A vs SL A Final : ભારત-A ટીમએ શ્રીલંકાને જીત માટે આપ્યો 378 રનનો ટાર્ગેટ