વૈભવ સૂર્યવંશીએ પોતાના શાનદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાના પસંદગીના દરવાજા ખોલી નાખ્યા છે. 15 વર્ષના ઓપનરને ફક્ત આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ T20 સિરીઝ માટે જ નહીં પરંતુ એશિયન ગેમ્સ 2026 માટે પણ પસંદ કરવામાં આવ્યો છે. તે ભારતીય ટીમ માટે પસંદ થનાર સૌથી યુવા ક્રિકેટર છે.


વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં ધૂમ મચાવી હતી. તેને 16 મેચોમાં 237.30ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી 776 રન બનાવ્યા હતા, જેના કારણે ઓરેન્જ કેપ જીતી હતી. તેને રાજસ્થાન રોયલ્સ માટે 1 સદી અને 5 અડધી સદી ફટકારી હતી. તે 90 થી વધુ રન માટે 3 વખત આઉટ થયો હતો.

છેલ્લા કેટલાક અઠવાડિયાથી વૈભવ સૂર્યવંશીને સિનિયર ટીમમાં સામેલ કરવાની સતત માગ કરવામાં આવી રહી હતી અને તે હવે વાસ્તવિકતા બની ગઈ છે. મુખ્ય સિલેક્ટર અજિત અગરકરે વૈભવ સૂર્યવંશી વિશે સત્ય સ્વીકારતા કહ્યું કે યુવા સેન્સેશનના શાનદાર પ્રદર્શને તેની પસંદગી કરવાની ફરજ પાડી.

'વૈભવ સૂર્યવંશી પાસેથી અમને ઘણી આશાઓ છે'

અજિત અગકરે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે "વૈભવ સૂર્યવંશી વિશે આપણે શું કહી શકીએ? તમને જણાવી દઈએ કે તે શું સક્ષમ છે. તમે તેને એકલા હાથે રાજસ્થાન રોયલ્સને પ્લેઓફ સુધી પહોંચાડતો જોયો છે. તે કેટલી સારી બેટિંગ કરી રહ્યો છે અથવા તે કેટલું સારું રમી રહ્યો છે તે વિશે મારે વધુ કહેવાની જરૂર નથી. અને તે ફક્ત આ સિઝનમાં જ નથી. ગયા સિઝનમાં તેની શરૂઆત શાનદાર રહી હતી. IPL જેવું સ્પર્ધાત્મક અને હાઈ દબાણવાળું વાતાવરણ એક યુવાન ખેલાડી માટે ગેમ-ચેન્જર છે. T20 ક્રિકેટ જોનારા દરેકની જેમ અમને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. મને લાગે છે કે તેને પોતાને સારી રીતે સાબિત કરી દીધો છે."

'જ્યારે તે દેશ માટે રમે છે...'

સિલેક્ટરે આગળ કહ્યું કે "તેનું પ્રદર્શન ઉત્કૃષ્ટ હતું. તે સારું રમ્યો. વૈભવ સૂર્યવંશીએ અમને તેને પસંદ કરવા માટે દબાણ કર્યું. હું તેની ઉંમર જાણું છું. તે ઘણો નાનો છે અને હમણાં જ તેનું કરિયર શરૂ કરી રહ્યો છે. પરંતુ તેને અંડર-19 સ્તરે સતત 2 IPLમાં જે કર્યું તે કદાચ IPL અથવા સિનિયર ક્રિકેટમાં તેની અપેક્ષા કરતા થોડું ઓછું હતું. પરંતુ આપણે બધા તેની પાસે રહેલી પ્રતિભા જોઈ શકીએ છીએ. અમને આશા છે કે જ્યારે તેને તેના દેશ માટે રમવાની તક મળશે ત્યારે તે પણ આવી જ ક્ષમતા દર્શાવશે. તેના દેશ માટે રમવાનો અર્થ મુશ્કેલ પડકારો છે, પરંતુ તેને જબરદસ્ત સ્વભાવ દર્શાવ્યો છે. તેને તેના પ્રદર્શનથી પોતાને પસંદ કર્યો છે."

આ યુવા ઓપનર ટૂંક સમયમાં થશે રિલીઝ

વૈભવ સૂર્યવંશીની પસંદગી સિલેક્ટર માટે મૂંઝવણ ઉભી કરે છે. તે શ્રીલંકામાં 9 થી 21 જૂન દરમિયાન યોજાનારી ટ્રાય સિરીઝ માટે ભારત A ટીમનો ભાગ છે. આ સિરીઝ 26 જૂનથી શરૂ થશે. પરંતુ BCCI સચિવ દેવજીત સૈકિયાએ સંકેત આપ્યો હતો કે વૈભવ સૂર્યવંશીને યુકે જતી ટીમમાં જોડાવા માટે ટૂંક સમયમાં રિલીઝ કરી શકાય છે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

  • Follow us on: