અમદાવાદના એસજી હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારચાલકનું મોત થયું છે અને SG હાઈવે પર એસટી બસ, 2 કાર વચ્ચે અકસ્માત થયો છે જેમાં ડિવાઇડર કૂદીને એસટી બસ કાર સાથે અથડાઈ હતી જેમાં બે કારને મોટું નુકસાન થયું છે અને ફોર્ચ્યુનર કારના ચાલકનું મોત થયું છે, ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.

[[$googlead]]

ફોર્ચ્યુનર કારમાં સવાર યુવતીને ગંભીર ઈજાઓ

આસપાસના લોકોનું કહેવું છે કે, એસટી બસ ડિવાઈડર કૂદીને ફોર્ચ્યુનર કારને અથડાઈ હતી અને પાછળ આવેલી એક કાર પણ તેની સાથે અથડાઈ હતી, તો ઘટનાની જાણ થતાની સાથે ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે, તો એસટી બસના ડ્રાઈવરની પણ અટકાયત કરવામાં આવી છે, સાથે સાથે આસપાસના લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે, રાજકોટથી એસટી બસ હિંમતનગર તરફ જઈ રહી હતી.

મૃતક ગાંધીનગરનો રહેવાસી હોવાની શકયતા

તો મૃતકની કારની નંબર પ્લેટ જીજે 18 છે એટલે કે તે ગાંધીનગર જિલ્લાનો રહેવાસી હોઈ શકે છે અને આ ઘટનામાં મૃતકના મૃતદહેને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, અમદાવાદના એસજી હાઈવે પર જે નવા બ્રિજ બન્યા છે તેની પર વારંવાર અકસ્માત થતા હોય છે અને ઘણા લોકોના મોત પણ થયા છે, ક્રેઈનની મદદથી એસટી બસ અને કારને ખસેડવામાં આવી છે, આ ઘટનામાં એક વ્યકિતની હાલત ગંભીર છે.

અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે ટ્રિપલ અકસ્માતમાં ઇશ્વરસિંહ વાઘેલાના 21 વર્ષીય પુત્ર ધવલનું મોત

SG હાઈવે પર એસટી બસ, 2 કાર વચ્ચે અકસ્માત, ભાજપના પૂર્વ મહામંત્રીના પુત્રએ સર્જ્યો અકસ્માત, કારચાલક મૃતક ભાજપના પૂર્વ મહામંત્રીનો પુત્ર છે અને અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા, ફોર્ચ્યુનર કારમાં સવાર યુવતીને ગંભીર ઈજાઓ છે, ઈજાગ્રસ્ત યુવતીને સોલા સિવિલ ખસેડાઈ, અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.



  • Follow us on: