ભાવનગરમાં અકસ્માત સર્જાયો છે જેમાં 2 વૃદ્ધના ઘટના સ્થળે મોત થયા છે, કાર ચાલકે સ્કૂટર ચાલકને અડફેટે લીધા છે જેના કારણે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર ચાલકની અટકાયત કરી છે, તો મૃતક બન્ને વૃદ્ધ ભાવનગરના રહેવાસી હોવાની વાત સામે આવી છે.
વલ્લભીપુર-ચમારડી પાસે કારે સ્કૂટરને અડફેટે લીધું
ભાવનગરના વલ્લભીપુર-ચમારડી પાસે અકસ્માતની ઘટના બની છે જેમાં કારે સ્કૂટર ચાલકને અડફેટે લેતા 2ના મોત થયા છે, કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે અને પૂછપરછ શરૂ કરી છે. મહેન્દ્રપુરમ નજીક I20 કારે સ્કૂટર સવાર બે આધેડને અડફેટે લીધા છે, સ્થાનિકોનું કહેવું છે કે, વલ્લભીપુર-ચમારડી નજીક મહેન્દ્રપુરમ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.













