ભાવનગરના મોતીતળાવ વિસ્તારમાં ટોળાનો હુમલો સામે આવ્યો છે, જેમાં 2 મહિલાઓ સહિત 8 લોકો પર ટોળાએ હુમલો કર્યો છે, અને બાઈક ચલાવવાની માથાકૂટને લઈ બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, અને પોલીસે સીસીટીવીના આધારે હુમલાખોરોની શોધખોળ આદરી છે.

25થી વધુ લોકોના ટોળાએ પથ્થરથી હુમલો કર્યો

આ સમગ્ર ઘટનામાં ટોળાએ પથ્થરથી હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે અને બાઇક ચલાવવા મુદ્દે બે જૂથો વચ્ચે થઇ હતી બબાલ અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, બોરતળાવ પોલીસે ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી છે, ઈજાગ્રસ્તોને સારૂ હોય તેવા લોકોને પણ હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે, આ સમગ્ર ઘટનામાં હાલ જગ્યા પર પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે અને હાલ વિસ્તારમાં શાંતિ ભર્યો માહોલ છે.

ભાવનગરના મોતીતળાવમાં ટોળાએ કર્યો હુમલો

મોતીતળાવ વિસ્તારમાં ટોળાએ 8 પરપ્રાંતીય યુવકો ઉપર કર્યો જીવલેણ હુમલો અને બાઇક ચલાવવા બાબતે બે જૂથ વચ્ચે પથ્થરબાજી કરતા જૂથ અથડામણનો માહોલ ઉભો થયો હતો અને ગત મોડી રાત્રીના કુંભારવાડાના મોતીતળાવ વિસ્તારમાં આ ઘટના બની છે, એક સમાજના 20 થી 25 લોકોના ટોળાએ પરપ્રાંતીય 2 મહિલા સહિત 8 લોકો ઉપર કર્યો હુમલો, તમામ ઇજાગ્રસ્તો ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને પોલીસે અમુક શખ્સોની અટકાયત પણ કરી છે.


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે રાજકારણની એન્ટ્રી, પૂર્વ.કલેકટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં આવ્યા પાટીદારો