જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલીયાની નિયુક્તિ થયા પછી તેમની સામે અનેક આક્ષેપો સામે આવી રહ્યા છે, અગાઉ ભાજપના એક ભૂતપૂર્વ કાર્યકરે વ્યાજખોરીનો આક્ષેપ કર્યા પછી આજે અહીના સરદાર પટેલ સોસાયટીમાં રહેતા પિતા-પુત્રએ વ્યાજે વ્યાજે લીધેલા ૪૦ લાખ સામે દોઢેક કરોડ લીધા હોવાનો આક્ષેપ કરતા ભારે ચર્ચા જાગી છે.
જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખે જમીન પડાવી લીધી !
જૂનાગઢના ભવાનભાઈ કુંભાણી અને તેના પુત્ર ભાવિનભાઈએ આજે શહેર ભાજપ પ્રમુખ સામે આક્ષેપ કરતા કહ્યું કે, વર્ષ ૨૦૧૮ માં તેમને બાઈકના શો-રૂમના ધંધા માટે કેશોદ ખાતે આવેલી ૬ વીઘા જમીન દસ્તાવેજ કરીને ૪૦ લાખ રૂપિયા ૩ ટકાએ વ્યાજે લીધા હતા, જેની સામે તેઓએ મહીને ૧.૨૦ લાખ વ્યાજ ચૂકવી દોઢ વર્ષ સુધીમાં ૮૦ લાખ આપ્યા અને તેની જમીન પણ ગૌરવભાઈએ અન્યન એ વેચી નાખી દોઢેક કરોડ પડાવી લીધાનું જણાવ્યું છે.













