જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં એક યુવાનનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ખેતરના કૂવામાં મૃતદેહ હોવાની જાણ થતા જ આસપાસના વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની વિગત
મુળીલા ગામના ખેડૂત ભરતભાઈ બગડાની વાડીમાં આવેલા કૂવામાં એક યુવાનનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. ખેડૂતે તુરંત કાલાવડ ગ્રામ્ય પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ મૃતદેહને કૂવા બહાર કાઢ્યો હતો. તપાસ દરમિયાન મૃતક યુવાન કાલાવડનો રહેવાસી મુર્તજા હીરાણી હોવાનું સામે આવ્યું છે.













