ક્રાઈમ બ્રાંચે ફેક મેસેજ કે ક્લિપ વાયરલ કરનારા તત્ત્વો સામે કડક પગલાં ભરવાની ચિમકી આપી હતી. સાથોસાથ ખરાઇ વિના ઓડિયો ક્લિપ વાયરલ કરનારા યુવક પાસે માફી પણ મંગાવાઈ હતી. શહેરમાં બાળકચોર ટોળકી ફરી રહી હોવાની અફવા વકરી છે. આ અફવાઓને કારણે ઉમરવાડા, ડી. કે.એમ. સર્કલ અને લિંબાયતના ગોવિંદનગરમાં નિર્દોષ લોકો ભીડની રોષનો ભોગ બન્યા હતા.


પોલીસે બે ગુનામાં ભીડ વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો હતો

છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ રીતે બાળકો ચોરી કરવા ગેંગ ફરતી હોવાની અફવા છે. તાજેતરમાં મોટા વરાછામાં ચાર બાળકીઓનું અપહરણ થયાની તથા સિટીલાઇટ પરથી બાળકો ચોરાની અફવા વકરી છે. વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ઓડિયો વાયરલ કરી લોકોમાં ગભરાટ-ઉચાટ ફેલાવાઈ રહ્યો છે.

પોલીસે ખોટો મેસેજ ફેલાવનાર સામે કાર્યવાહી કરી

ત્યારે ક્રાઈમ બ્રાંચે ફેક મેસેજ કે ઓડિયો-વીડિયો વાયરલ કરનારા તત્ત્વો સામે કડક પગલાં ભરવાની ચિમકી આપી હતી. પોલીસે અપીલ પણ કરી હતી કે, કોઇપણ મેસેજ કે કિલપ ખરાઈ કર્યા વિના વાયરલ કરવી નહિ. દરમિયાન ઓડિયો વાયરલ કરનારા એક યુવકને અટકાયતમાં લઈ તેની પાસે માફી મંગાવી તે અંગેનો વીડિયો પણ વાયરલ કરાયો હતો.


આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠામાં લોકોને કરોડપતિ બનવાનું સ્વપ્ન દેખાડનાર લકી ડ્રોનો માસ્ટર માઇન્ડ અશોક માળી ઝડપાયો


  • Follow us on: