પોલીસ પરિજનોના નિવેદનની જોઇ રહી છે રાહ અને ગુનો દાખલ થયા બાદ વધુ ખુલાસો થશે, એક મહિલાએ તુલાર ઘેલાણીને ફસાવ્યા હતા અને તેનો પીછો છોડતી ન હતી મહિલા તેના કારણે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પરંતુ આ મામલે હજી મહિલા સામે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
તુષાર ઘેલાણી આપઘાત કેસમાં નવો વળાંક
સુરતમાં 1 ફેબ્રુઆરીના રોજ લાયસન્સવાળી રિવોલ્વરથી બિલ્ડર તુષાર ઘેલાણીએ આપઘાત કર્યો હતો અને પરિજનો તેમને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ, હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે અને તેમાં સૂત્રો તરફથી એવી વાત સામે આવી છે કે, એક મહિલા તેમને બ્લેકમેઈલ કરી રહી હતી અને દીકરીનો પ્રસંગ બગાડવાની વાત કરતી હતી જેથી બિલ્ડરે આપઘાત કર્યો છે.













