સુપરસ્ટાર આમિર ખાન ઘણીવાર 'મહાભારત' વિશે વાત કરે છે. જે તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તાજેતરમાં, સુપરસ્ટારે આ મહાકાવ્યના ફિલ્મ રૂપાંતર વિશે વાત કરી અને કહ્યું કે તે આ પ્રોજેક્ટ સાથે નિર્માતા તરીકે જોડાશે. આમિર ખાને કહ્યું કે 'મહાભારત' તેમના સૌથી મોટા સપનાઓમાંનું એક છે. તે આ વર્ષે 'મહાભારત' પર કામ શરૂ કરવા જઈ રહ્યો છે. આમિર ખાને વધુમાં કહ્યુ હતુ કે, 'મને આશા છે કે હું આ વર્ષે કામ શરૂ કરીશ.' તેમણે કહ્યું કે તેઓ 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ'ની જેમ અનેક ભાગોમાં 'મહાભારત' ફિલ્મ બનાવવા માંગે છે.


ફિલ્મ "મહાભારત"માં આમિર ખાનનો રોલ શું હશે?

આમિર ખાને કહ્યું કે તેમને હજુ સુધી ખાતરી નથી કે તેઓ 'મહાભારત'માં કામ કરશે કે નહીં. પરંતુ તેમની ટીમ દરેક પાત્ર માટે યોગ્ય અભિનેતાને પસંદ કરશે. તેમણે કહ્યું, 'આપણે જોઈશું કે કયો અભિનેતા કઈ ભૂમિકા માટે યોગ્ય રહેશે.' તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ ફિલ્મનું દિગ્દર્શન પોતે કરી શકતા નથી. કારણ કે આ એક મોટો પ્રોજેક્ટ છે અને આખી વાર્તા કહેવા માટે ઘણી ફિલ્મોની જરૂર પડશે.

ઘણા ડિરેક્ટરોની જરૂર પડશેઃ આમિર ખાન

તેમણે કહ્યું, 'મને નથી લાગતું કે મહાભારતની વાર્તા ફિલ્મમાં કહી શકાય.' એટલા માટે આના પર ઘણી ફિલ્મો બનશે. હું આને મોટા પાયે જોઈ રહ્યો છું. એ કહેવું બહુ વહેલું છે. પણ આપણને વિવિધ ડિરેક્ટરોની જરૂર પડી શકે છે. 

  • Follow us on: