બોલીવુડ એક્ટર અમન યતન ગુપ્તા વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફેમસ ટીવી અને બોલીવુડ એક્ટર અમન ગુપ્તાના અંગત જીવનમાં ઉથલપાથલ ચાલી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને અને તેની પત્ની વંદના લાલવાણીને કેટલીક સમસ્યાઓ છે અને હવે લગ્નના 9 વર્ષ પછી પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે બંને અલગ પણ થઈ શકે છે. આનો અર્થ એ થયો કે 'બાગબાન' એક્ટર ટૂંક સમયમાં છૂટાછેડા લઈ શકે છે.
અમન ગુપ્તા અને વંદના લાલવાણીના છૂટાછેડા પાછળનું શું છે કારણ?
મીડિયા રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2016 માં લગ્ન કર્યા પછી અમન યતન ગુપ્તા અને વંદના લાલવાણી છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. તેમની નજીકના વ્યક્તિએ મીડિયાને જણાવ્યું છે કે આ કપલ ઘણા સમયથી કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. બંનેએ પોતાના મતભેદો દૂર કરવા અને સંબંધો સુધારવા માટે ઘણા પ્રયાસો કર્યા, છતાં કંઈ કામ ન આવ્યું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ પરિવાર શરૂ કરવા માંગતા હતા, પરંતુ તેમના મતભેદો એટલા ઊંડા થઈ ગયા કે આ થઈ શક્યું નહીં.
છૂટાછેડાના સમાચાર પર અમન ગુપ્તા અને વંદના લાલવાણીએ શું કહ્યું?
મીડિયા રિપોર્ટ મુજબ વંદનાએ પોતે છૂટાછેડા માટે અરજી કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ મામલે એક્ટર અમન યતન ગુપ્તાનું નિવેદન હજુ સુધી સામે આવ્યું નથી. તેને હાલમાં કોઈ પણ કોમેન્ટ કરવાની ના પાડી છે. અમન જે કંઈ કહેવા માંગે છે તે યોગ્ય સમયે તેના વકીલ દ્વારા કહેશે. વંદનાએ પણ આ બાબતે મૌન જાળવી રાખ્યું છે.
ક્યારે અને ક્યાંથી શરૂ થઈ લવસ્ટોરી?
તમને જણાવી દઈએ કે, અમન યતન ગુપ્તા અને વંદના લાલવાની પહેલી વાર શૂટિંગ દરમિયાન મળ્યા હતા. આ બંનેની પહેલી મુલાકાત 2014 માં પોપ્યુલર શો 'હમ ને લી હૈ- શપથ' ના સેટ પર થઈ હતી. આ પછી, બંનેએ 2015 માં સગાઈ કરી અને બીજા વર્ષે એટલે કે 2016 માં લગ્ન કરી લીધા અને હવે, લગ્નના 9 વર્ષ પછી, તેમના અલગ થવાના સમાચાર આવી રહ્યા છે. પરંતુ, સંદેશ ન્યૂઝ આ વાતની પુષ્ટિ કરતું નથી કે અમન યતન ગુપ્તા અને વંદના લાલવાણી છૂટાછેડા લેવા જઈ રહ્યા છે.