- રેખાએ એક ચેટ શો દરમિયાન કર્યા અનેક ખુલાસા
- રેખાએ લગ્નને લઈને કહી આ વાત
- રેખાએ કહ્યું કે 'મેં 3 વસ્તુઓ સાથે લગ્ન કર્યા છે'
હિન્દી સિનેમાની દિગ્ગજ એક્ટ્રેસમાંથી એક રેખા આજે પણ એટલી જ સુંદર છે જેટલી તે પહેલા હતી. લોકો તેની સ્ટાઈલની સાથે તેની સુંદરતાના પણ દિવાના છે. રેખા હંમેશા દરેક ઈવેન્ટ અને પાર્ટીમાં હસતી જોવા મળે છે.
રેખાનું કરિયર જેટલું શાનદાર રહ્યું છે તેટલું જ તેની પર્સનલ લાઈફ દુઃખથી ભરેલી રહી છે. એક સમય એવો હતો જ્યારે બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે રેખાના અફેરની ઘણી ચર્ચાઓ થતી હતી. પરંતુ તે સમયે અમિતાભ બચ્ચન પરિણીત હતા અને તેમણે રેખા સાથેના સંબંધો વિશે ક્યારેય કશું કહ્યું ન હતું.
બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે કર્યા હતા લગ્ન
રેખાએ 1990માં દિલ્હીના એક મોટા બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના 7 મહિના બાદ રેખાના પતિ મુકેશે આત્મહત્યા કરી લીધી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ લગ્નના 3 મહિના પછી રેખા તેના પતિ મુકેશથી કંટાળી ગઈ હતી અને તેણે તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.
પરિણીત મહિલાની જેમ રહે છે રેખા
રેખા હજી પણ સિંદૂર લગાવે છે અને દરેક ઈવેન્ટમાં પરિણીત મહિલાની જેમ જ હાજરી આપે છે. સિમી ગ્રેવાલના ચેટ શોમાં જ્યારે રેખાને તેના બીજા લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે એક્ટ્રેસે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો.
લગ્નના 7 મહિના પછી જ પતિએ કરી આત્મહત્યા
સિમા ગ્રેવાલે રેખાને પૂછ્યું હતું કે હવે જ્યારે તેના પહેલા પતિ મુકેશનું અવસાન થઈ ગયું છે તો શું એક્ટ્રેસ બીજી વાર લગ્ન કરશે? આના પર રેખાએ પહેલા ખૂબ જ મજાકિયા અંદાજમાં કહ્યું હતું - હું આ કોઈ પુરુષ સાથે નહીં કરું. પછી તે થોડી ગંભીર થઈ અને બોલી - હું ફરીથી લગ્ન કરી શકું છું.
રેખાએ કહ્યું કે 'મેં 3 વસ્તુઓ સાથે લગ્ન કર્યા છે'
રેખાએ આગળ કહ્યું કે મારા પતિ સિવાય મેં અન્ય ત્રણ લોકો સાથે લગ્ન કર્યા હતા. મેં મારી જાતથી, મારા વ્યવસાયથી અને મારા ફેન્સ સાથે મારા દિલમાં લગ્ન કર્યા છે. હું પરણીત છું. હું પાગલ વ્યક્તિ નથી. રેખાએ આગળ કહ્યું કે લગ્ન માટે પુરુષની જરૂર નથી. સ્ત્રી પોતાનું રક્ષણ કરી શકે છે.