ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલી છૂટાછેડાની ચર્ચાઓ આખરે સાચી પડી છે. બંને વચ્ચે છૂટાછેડાના સમાચારની પુષ્ટિ થઈ ગઈ છે.


ગુરુવારે, ચહલ અને ધનશ્રીને બાંદ્રા ફેમિલી કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમના છૂટાછેડાની બધી ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી. હવે બંનેના રસ્તા એકબીજાથી અલગ થઈ ગયા છે. લગ્નના માત્ર 4 વર્ષ પછી બંને અલગ થઈ ગયા.

છૂટાછેડા પર લાગી મહોર?

મીડિયા રિપોર્ટ્સ મુજબ બંનેના છૂટાછેડા થઈ ગયા છે. આજે બંનેને બધી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે બાંદ્રા ફેમિલી કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને બધા કાનૂની ડોક્યુમેન્ટ પૂર્ણ કર્યા. હાલમાં ચહલ અને ધનશ્રી વર્મા તરફથી છૂટાછેડા અંગે કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક સ્ટોરી શેર કરી હતી. બંનેએ પરસ્પર સંમતિથી આ નિર્ણય લીધો છે.

યુઝવેન્દ્ર ચહલે શેર કરી સ્ટોરી

યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી. આ સમય દરમિયાન તેને લખ્યું કે ભગવાને મને મારા કરતા વધારે બચાવ્યો છે. તેને ભગવાનનો આભાર માન્યો કે તે તેની સાથે હતો. તેને લખ્યું કે જ્યારે મને ખબર પણ નથી કે તું મારી સાથે છે.


ધનશ્રીએ પણ શેર કરી સ્ટોરી

યુઝવેન્દ્ર ચહલની સ્ટોરીના લગભગ 1 કલાક પછી, ધનશ્રી વર્માએ પણ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી. આ સમય દરમિયાન તેણે લખ્યું કે ભાગ્યશાળી ન બને ત્યાં સુધી તણાવ. સ્ટોરી શેર કરતી વખતે તેણે લખ્યું કે ભગવાન ચિંતાઓને ખુશીમાં ફેરવે છે તે કેટલું અદ્ભુત છે. જો તમે કોઈ બાબત વિશે ચિંતિત છો, તો જાણો કે તમારી પાસે વિકલ્પો છે. આ પરિસ્થિતિમાં તમે ચિંતિત થઈ શકો છો અથવા ભગવાનને શરણાગતિ આપી શકો છો.


  • Follow us on: