ફિલ્મ "અંદાઝ અપના અપના"ની રી-રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. સલમાન-આમિરની જોડી ફરી રૂપેરી પર્દે જોઈ શકાશે. સલમાન ખાન અને આમિર ખાનની જોડીને ફરીથી પડદા પર જોવા માટે ચાહકોમાં ઉત્સુકતા છે. આ ફિલ્મ 31 વર્ષ પહેલા સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સલમાન-આમિરની સાથે કરિશ્મા અને રવિના પણ જોવા મળશે.


આ તારીખે રી-રિલીઝ થશે ફિલ્મ

સલમાન ખાન અને આમિર ખાનની જોડીને ફરીથી જોવા માટે ફેન્સ તૈયાર છે. આ ફિલ્મ 31 વર્ષ પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જ્યાં સલમાન અને આમિરની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. તેમના સિવાય ફિલ્મમાં રવિના ટંડન અને કરિશ્મા કપૂર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મ 25 એપ્રિલના રોજ દેશભરના સિનેમાઘરોમાં ફરી રિલીઝ થવા જઈ રહી છે. જ્યાં ફરી એકવાર કોમેડીનો સ્પર્શ થવાનો છે. આ કલાકારોના ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

31 વર્ષ પછી ફરી રિલીઝ થશે

આજકાલ ઘણી બોલીવુડ ફિલ્મો સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ રહી છે. દર્શકો તેમને ફરીથી થિયેટરોમાં જોવા માટે ઉત્સુક છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મોમાં વીર ઝારા, રોકસ્ટાર, લૈલા મજનુ વગેરે ફિલ્મોના નામ સામેલ છે. હવે સલમાન ખાન અને આમિર ખાનના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ "અંદાઝ અપના અપના" ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે. જેમણે બોલીવુડને ઘણી મોટી ફિલ્મો આપી છે. હવે આવનારા સમયમાં ખબર પડશે કે આ ફિલ્મ રી-રિલીઝ થયા પછી તેનું કલેક્શન શું હશે. 

  • Follow us on: