બોલીવુડ ક્વીન કહેવાતી કંગના રનૌત અવારનવાર પોતાના બેફામ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ફિલ્મોની દુનિયાથી રાજકારણની દુનિયામાં સફર કરનાર કંગના રનૌત તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ઇમર્જન્સી' માટે લાંબા સમયથી હેડલાઇન્સમાં છે જે રિલીઝ પહેલા જ વિવાદોમાં હતી.
કંગનાએ બોલીવુડ સ્ટાર્સનો કર્યો પર્દાફાશ
જોકે, આ ફિલ્મને હવે સેન્સર બોર્ડ તરફથી UA સર્ટિફિકેટ મળી ગયું છે ત્યારબાદ ચાહકો તેની ફિલ્મની નવી રિલીઝ ડેટની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન તેના હાલના ઇન્ટરવ્યુમાં અભિનેત્રી ફરી એકવાર બોલીવુડ અને બોલીવુડ સ્ટાર્સ પર ગુસ્સે થતી જોવા મળી હતી. અભિનેત્રીએ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઘણી મોટી હસ્તીઓનો પર્દાફાશ કર્યો છે.
હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન કંગના બોલીવુડ સ્ટાર્સ પર ગુસ્સે થતી જોવા મળી હતી. ફિલ્મ સ્ટાર્સના બેવડા ધોરણો પર નિશાન સાધતા તેમણે પૂછ્યું કે તેઓ ગુટખાની જાહેરાત શા માટે કરે છે? તેમની મજબૂરી શું હોઈ શકે? આ સાથે તેણે બોલીવુડ સ્ટાર્સ અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચેના કનેક્શન તરફ પણ ધ્યાન દોર્યું હતું
કંગનાનો વિવાદો સાથે જૂનો સબંધ
જ્યારે કંગનાને પૂછવામાં આવ્યું કે તેની સાથે હંમેશા વિવાદ કેમ સંકળાયેલો છે? તો તેણે જવાબ આપ્યો કે, 'મને લાગે છે કે જો તમે માત્ર ગીતોમાં નાચતા રહેશો અને ગાતા રહેશો તો કોઈને કોઈ તકલીફ નહીં પડે. પરંતુ જો તમે કહો કે મારે એવું મુખ્ય પાત્ર ભજવવાનું છે જે દેશ અને તેના ઈતિહાસ વિશે લોકોમાં જાગૃતિ લાવે તો લોકો પરેશાન થવા લાગે છે. આજના જમાનામાં સારા માણસો માટે સમય નથી. પોતાની ફિલ્મ 'ઇમરજન્સી' વિશે વાત કરતી વખતે કંગનાએ કહ્યું કે, '99 ટકા પંજાબીઓ ભિંડરાવાલેને સંત માનતા નથી'.
કંગનાએ ઇમર્જન્સી ફિલ્મ અંગે કહી આ વાત
કંગનાની 'ઇમર્જન્સી'ને સર્ટિફિકેટ મળી ગયું હોવા છતાં ફિલ્મમાં ત્રણ કટ અને 10 ફેરફાર કરવામાં આવ્યા છે. આના પર કંગનાએ કહ્યું હતું કે, 'અમે સેન્સર બોર્ડ સમક્ષ ઘણી સમસ્યાઓ રજૂ કરીએ છીએ. હું માનું છું કે આપણે આ વિશે ફરીથી વિચારવું જોઈએ. OTT પર પણ સેન્સરશિપ હોવી જોઈએ પરંતુ તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.
ણીવાર બોલીવુડ અને સ્ટાર્સ વિરુદ્ધ બોલતી કંગનાને જ્યારે તેનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, 'હું કોઈને ટાર્ગેટ નથી કરતી. જ્યારે મારો જન્મ પણ ન હતો ત્યારે આ લોકો દાઉદ ઈબ્રાહિમ સાથે ફરતા હતા.
કંગના રનૌતના ચાહકોને આ વાત કદાચ ખબર નહીં હોય જેનાથી તેમને આશ્ચર્ય થશે કે અભિનેત્રીનો પરિવાર કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છે. અભિનેત્રીએ જણાવ્યું કે ફિલ્મ 'ગેંગસ્ટર' પછી તેને રાજકારણમાં આવવાનો મોકો મળ્યો. 'ચાલો દેશ માટે મુશ્કેલી ઊભી કરીએ. તેઓ ફક્ત પોતાને નુકસાન પહોંચાડે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી જશ્ન મનાવી રહી છે કે મારી ફિલ્મ બંધ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, હાલમાં કંગનાની ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી.













