મનોરંજન ઈન્ડસ્ટ્રીમાંથી દરરોજ કોઈને કોઈ સેલિબ્રિટીના અફેરની ચર્ચાઓ કે કોઈ સેલિબ્રિટી કપલના છૂટાછેડાની અફવાઓ સામે આવતી રહે છે. હંસિકા મોટવાણી અને સોહેલ કથુરિયાના લગ્ન તૂટવાની અફવાઓ ખૂબ જ ચર્ચામાં છે. આ અફવાઓ વચ્ચે અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના લગ્નના લગભગ તમામ ફોટા નિકાળી દીધા છે જેનાથી આ કપલનાં છૂટાછેડાની અફવાઓ વધુ તીવ્ર બની છે.
હંસિકા અને સોહેલના લગ્નજીવનમાં તિરાડ?
અભિનેત્રી હંસિકા મોટવાણી અને તેના પતિ સોહેલ કથુરિયાએ ડિસેમ્બર 2022માં ભવ્ય લગ્ન કર્યા હતા. તે જ સમયે, લગ્નના લગભગ 3 વર્ષ બાદ આ કપલના છૂટાછેડાની અફવાઓ ફેલાઈ રહી છે. આ અટકળો ત્યારે વધુ તીવ્ર બની જ્યારે હંસિકાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના પતિના મોટાભાગના ફોટા અને લગ્નના વીડિયો દૂર કર્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે છેલ્લા કેટલાક સમયથી તેની માતા સાથે રહે છે. જોકે, આ કપલે હજુ સુધી આ અફવાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી.
હંસિકા મોટવાણીએ પતિ સાથેના ફોટોઝ કર્યા ડિલીટ
સાઉથ ફિલ્મોમાં ઘણું નામ કમાવનારી હંસિકા મોટવાણીએ 18 જુલાઈ 2025થી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને અપડેટ કર્યું નથી. જેના કારણે છૂટાછેડાની અફવાઓ વધુ ફેલાઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તેની ગેરહાજરી અને સોહેલ સાથેની મોટાભાગની પોસ્ટ ડિલીટ કર્યા બાદ લોકોને લાગી રહ્યું છે કે, તેમના લગ્નજીવનમાં કોઈ મોટી સમસ્યા ચાલી રહી છે. સોહેલ સાથેની તેની કેટલીક પોસ્ટ હાજર છે પરંતુ તેમની સાથેના મોટાભાગના ફોટા અને વીડિયો દૂર કરી દેવામાં આવ્યા છે. એવી અફવાઓ છે કે હંસિકા તેની માતા સાથે રહેવા ગઈ છે અને સોહેલ કથુરિયાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પ્રાઈવેટ કરી દીધા છે.
છૂટાછેડાની અફવાઓ પર સોહેલ કથુરિયાએ શું કહ્યું?
જોકે હંસિકા મોટવાણીએ છૂટાછેડાની અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. અહેવાલ મુજબ, એક આંતરિક વ્યક્તિએ જણાવ્યું હતું કે, હંસિકા તેની માતા સાથે રહેવા લાગી છે જ્યારે સોહેલ તેના માતાપિતા સાથે રહે છે. જ્યારે આ સંદર્ભમાં હંસિકાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણીએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી પરંતુ તેના પતિએ અહેવાલો પર પ્રતિક્રિયા આપતા એક સંદેશ લખ્યો કે, આ સાચું નથી.
તમને જણાવી દઈએ કે સોહેલે હંસિકા સાથે બીજી વાર લગ્ન કર્યા હતા. આ પહેલા તેણે 2016માં હંસિકાની મિત્ર રિંકી બજાજ સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. બાદમાં હંસિકા પર તેના પોતાના મિત્રની સહ-પત્ની બનવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, તેના લગ્નની વેબ ડોક્યુમેન્ટરીમાં હંસિકાએ આ આરોપો વિશે વાત કરતા કહ્યું હતું કે, ફક્ત એટલા માટે કે હું તે સમયે તે વ્યક્તિને જાણતી હતી તેનો અર્થ એ નથી કે તે મારી ભૂલ હતી. મારો તેની સાથે કોઈ લેવાદેવા નથી. કારણ કે હું એક જાહેર વ્યક્તિ છું લોકો માટે મારા પર આંગળી ચીંધવી અને મને ખલનાયક બનાવવું ખૂબ જ સરળ હતું. સેલિબ્રિટી બનવા માટે મેં આ કિંમત ચૂકવી હતી.













