બોલીવુડમાં અત્યારે નવરાત્રિ પર્વની ભક્તિનો માહોલ જામ્યો છે. બોલીવુડ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ વારણસીની દુર્ગા પંડાલની મુલાકાત લીધી. લોકપ્રિય અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ તાજેતરમાં વારાણસીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે દશાશ્વમેઘ ઘાટ પર એક ખાસ પૂજા કરી હતી અને ગંગા આરતીમાં ભાગ લીધો હતો. સિદ્ધાંત ચતુર્વેદીએ વારાણસીમાં ગંગા આરતી કરી અનન્ય ઉર્જાનો અનુભવ કર્યો.
"છોરા ગંગા કિનારે વાલા" સિદ્ધાંત ચતુર્વેદી
અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી મૂળ ઉત્તર પ્રદેશના બલિયાનો રહેવાસી છે. એટલે જ વારાણસી સાથે તેમનો પારિવારિક લગાવ છે. સિદ્ધાંતે વારાણસીની યાત્રા દરમિયાન પોતાના મૂળ સાથે ફરી જોડાવાનો અનુભવ કર્યો હતો. વારાણસીમાં ફરતા કાશીની પવિત્ર, આધ્યાત્મિક ઉર્જામાં ડૂબી ગયા હતા. પોતાની આ અદ્ભૂત યાત્રાની ઝલક શેર કરતા સિદ્ધાંતે પોસ્ટનું કેપ્શન આપ્યું હતું "છોરા ગંગા કિનારે વાલા"













