બોલીવુડમાં 90ના દાયકામાં સુપરહિટ ફિલ્મો આપનાર જેકી શ્રોફ અત્યારે ચર્ચામાં છે. હાલમાં જ જેકીશ્રોપ પાપારાઝી પર ગુસ્સે થયો હતો. સોશિયલ મીડિયામાં આ કિસ્સાનો વીડિયો વાયરલ થયા બાદ તેના ફેન્સ ચિંતિત થયા હતા. કારણ કે અભિનેતા જેકીશ્રોફ તેના ઉદાર સ્વભાવ માટે વધુ ફેમસ છે. હાલમાં જેકીશ્રોફે એક ઇન્ટરવ્યુમાં પાપારાઝી પર ગુસ્સે થવાનું કારણ જણાવ્યું. સાથે-સાથે પોતાના ભાઈને લઈને એક ખુલાસો કર્યો. ઇન્ટરવ્યુમાં જેકીશ્રોફે કહ્યું કે મારી આંખો સામે મારા ભાઈનું મૃત્યુ થયું.
આ ઘટનાથી હું ખૂબ ડરી ગયો હતો
ઇન્ડસ્ટ્રીના લાંબા સમયથી ભાગ રહેલ અભિનેતા જેકી શ્રોફે કહ્યું કે મારાભાઈનું 17 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું. જેનો મને હજુ સુધી પણ આઘાત છે. લોકો મને જગ્ગુ દાદા કહે છે પરંતુ ખરેખર મારો મોટો ભાઈ દાદા છે. તેનો ભાઈ તેની તમામ પ્રકારે મદદ કરતો હતો. જ્યારે પણ કોઈને મદદની જરૂર પડતી ત્યારે તે ત્યાં પહોંચી જતો. એ સમયે એક વ્યક્તિ દરિયામાં ડૂબતો હતો ત્યારે તેને બચાવવા મારો ભાઈ પાણીમાં કૂદી પડ્યો. પરંતુ, તેને તરવાનું આવડતું ન હતું અને તે ડૂબવા લાગ્યો. એ સમયે હું પણ ત્યાં હતો અને મેં મારા ભાઈને બચાવવા બહુ પ્રયાસ કર્યો. છતાં ભાઈને બચાવી ના શકયો. તે સમયે હું 10 વર્ષનો હતો અને આ ઘટનાથી તે ખૂબ જ ડરી ગયો હતો.













