કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરના મૃત્યુના સમાચાર બહાર આવ્યા છે ત્યારથી અભિનેત્રીનું અંગત જીવન ખૂબ ચર્ચામાં છે. કરિશ્માના અભિષેક બચ્ચન સાથેના સંબંધો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. કરિશ્મા અને અભિષેક એક સમયે લગ્ન કરવાના હતા પરંતુ અચાનક જ તેમની સગાઈ તૂટી ગઈ હતી. ત્યાર બાદ બંને અલગ થઈ ગયા હતા. કરિશ્મા જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિમાંથી બહાર નિકળવું મુશ્કેલ હતું.


કરિશ્મા અને અભિષેકે 2002માં સગાઈ કરી હતી અને બંનેએ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. બચ્ચન પરિવાર પણ કરિશ્માને પોતાની પુત્રવધૂ બનાવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો પરંતુ સગાઈ બાદ બંનેએ પોતાનો સંબંધ તોડી નાખ્યો હતો. સગાઈ તૂટ્યાના થોડા સમય સુધી કરિશ્માએ સુભાષ ઝા સાથે આ પરિસ્થિતિ વિશે વાત કરી હતી.

સગાઈ તૂટ્યા બાદ પીડામાં: કરિશ્મા

કરિશ્માએ જણાવ્યું કે, તે સમય તેના માટે ખૂબ જ પીડાદાયક હતો, આખા પરિવારે મળીને તેને તેમાંથી બહાર કાઢી. સાથે જ તેણે કહ્યું કે, હું નથી ઇચ્છતી કે કોઈ છોકરી આમાંથી પસાર થાય. મારે મારા દુ:ખ અને પીડાનો સામનો જાતે કરવો પડ્યો ત્યાર બાદ સમય સાથે બધું સારું થઈ ગયું હતું. ભલે મેં ઘણું સહન કર્યું હોય પણ જે કંઈ બન્યું છે તે પણ હું સ્વીકારી ચૂકી છું. હું ફક્ત એટલું જ કહીશ કે જે કંઈ પણ વ્યક્તિના ભાગ્યમાં લખાયેલું હોય છે તે થવાનું જ છે. હું મારી સમસ્યાઓનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર નહોતી પરંતુ તમારે ફક્ત જાતે જ આગળ વધવું પડશે. તેણીએ એમ પણ કહ્યું હતું કે જો તેનો પરિવાર તેની સાથે ન હોત તો કદાચ તે ક્યારેય આ સમસ્યામાંથી બહાર ન આવી શકત.


  • Follow us on: