લાલો: કૃષ્ણ સદા સહાયતે એક મોટી બ્લોકબસ્ટર અને ઈમોશનલ ગુજરાતી ફિલ્મ છે. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ અને એક સામાન્ય વ્યક્તિની અતૂટ શ્રદ્ધા પર આધારિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. તે 100 કરોડથી વધુ કમાણી કરનારી પહેલી ગુજરાતી ફિલ્મ બની હતી. હવે ફિલ્મના તેલુગુ રિમેકની તૈયારીઓ ચાલી રહી છે અને ચર્ચા છે કે તેમાં ભગવાન કૃષ્ણનું પાત્ર વિજય દેવરકોંડા ભજવી શકે છે.
રામ ચરણ બાદ વિજયનું નામ ચર્ચામાં
અગાઉ એવી ચર્ચા હતી કે લાલોના તેલુગુ રિમેકમાં ભગવાન કૃષ્ણનું પાત્ર રામ ચરણ ભજવી શકે છે. જોકે હવે તેલુગુ 360 ડોટ કોમના અહેવાલ મુજબ વિજય દેવરકોંડાનું નામ સામે આવી રહ્યું છે. તેલુગુ સિનેમાના પ્રોડ્યુસર દિલ રાજુએ ફિલ્મના તેલુગુ રિમેક રાઇટ્સ ખરીદી લીધા છે.
