બોલીવુડની સુંદરતા અને ફિટનેસ ક્વીન, મલાઈકા અરોરા ફેન્સના દિલ પર રાજ કરે છે. 50 વર્ષની ઉંમરે પણ, તે સુંદરતામાં ઘણી યુવા સુંદરીઓને પાછળ છોડી દે છે. જોકે, મલાઈકા ઘણીવાર તેના અંગત જીવનમાં આવતા ઉતાર-ચઢાવને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરે છે. હવે, તેણે તેના નફરત કરનારાઓને જવાબ આપ્યો છે.


ટ્રોલિંગ પર મલાઈકાએ શું કહ્યું?

અરબાઝ ખાન સાથેના વર્ષોના લગ્નજીવનના અંત પછી મલાઈકાને ભારે ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ તેના કરતા નાના અર્જુન કપૂર સાથે ડેટિંગ કરવા બદલ તેની ટીકા પણ કરી. જોકે, મલાઈકા કોઈના મંતવ્યો પર ધ્યાન આપતી નથી. તે પોતાની શરતો પર પોતાનું જીવન જીવવામાં માને છે.

ટ્રોલ્સ હંમેશા ટ્રોલ કરશે- મલાઈકા

પરંતુ હવે મલાઈકાએ ટ્રોલર્સને જવાબ આપ્યો છે. એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીએ કહ્યું, મેં મારા પોતાના ગ્રોથ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી લીધું છે. હું બીજાઓની નકારાત્મક કોમેન્ટ પ્રભાવિત નથી થતી. ટ્રોલ્સ હંમેશા ટ્રોલ રહેશે. બોલવાનું તેમનું કામ છે, પરંતુ હું ઝેરી અસરમાં ભાગ લેતી નથી. મારો પરિવાર, મિત્રો અને મારી પોતાની માનસિક શાંતિ મારા માટે વધુ મહત્વપૂર્ણ છે. લોકોને એવું લાગે છે કે હું ટોક્સિક છું પરંતુ એ તે લોકોના વિચારો છો તેને હું ના બદલી શકું હું આવા બધા વિચારો કરતી નથી.  

શું મલાઈકાને અભિનય કરતાં આ વસ્તુ વધુ ગમે છે?

મલાઈકા અરોરા પણ સ્વીકાર્યું કે તેને અભિનયનો આનંદ છે, પરંતુ તેનાથી તેને નૃત્ય કરવા જેટલો આનંદ મળતો નથી. અભિનેત્રીએ કહ્યું, એ સાચું છે કે અભિનયથી મને ક્યારેય ડાન્સ નંબર કરવા જેટલો ઉત્સાહ મળ્યો નથી. મને અભિનયનો આનંદ આવે છે, પરંતુ નૃત્ય મને ઘર જેવું લાગે છે.

જજિંગ પેનલનો ભાગ છે મલાઈકા

મલાઈકાની વાત કરીએ તો, તે હાલમાં પ્રતિભા આધારિત રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટને જજ કરી રહી છે. નવજોત સિંહ સિદ્ધુ અને ગાયક શાન પણ શોના જજિંગ પેનલનો ભાગ છે. મલાઈકા શોમાં ખૂબ જ લોકપ્રિય છે. તે અગાઉ ઘણા રિયાલિટી શોને જજ કરી ચૂકી છે.


  • Follow us on: